26 જાન્યુઆરીના રોજ આંતકી હુમલાના પગલે સેન્ટ્રલ આઇબી, સ્ટેટ આઇબી તેમજ અલગ અલગ સુરક્ષા એજન્સીઓ એલર્ટ આપતી હોય છે અને બોર્ડરની સુરક્ષાઓ વધારી દેવાતી હોય છે કોઇ ધુસણખોરો બોર્ડર વટાવીને ધુસી શકે તેવી શક્યતાઓ હોતી નથી પરંતુ 19 વર્ષ પહેલાની 26મી જાન્યુઆરી પાકિસ્તાનના બે આંતકવાદીઓ માટે આશિર્વાદ રુપ સાબીત થઇ હતી.
પાકિસ્તાનના બે આંતકવાદીઓ સહિત ખુંખાર કેદીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયો
181 કેદીઓ ફરાર થઇ ગયા હતા જૈ પેકી બે પાકિસ્તાની આંતકવાદીઓ હતા
26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં આવેલ વિનાશકારી ભૂકંપ કચ્છનાં લોકો અને ગુજરાતના લોકો માટે ગોજારો સાબિત થયો હતો. આ વિનાશકારી ભૂંકપમાં હજારો લોકોના મોત થયા હતા ત્યારે કેટલાક લોકો બેધર થયા હતા. જોકે આ ભૂંકપ પાકિસ્તાનના બે આંતકવાદીઓ સહિત ખુંખાર કેદીઓ માટે આશિર્વાદરૂપ સાબીત થયો હતો. 19 વર્ષ પહેલા રોજ આવેલા ભૂકંપના કારણે ભુજની જેલ ધ્વસ્ત થઇ ગઈ હતી. જેમાં 181 કેદીઓ ફરાર થઇ ગયા હતા જૈ પેકી બે પાકિસ્તાની આંતકવાદીઓ હતા.
181 કેદીઓ અને બે પાકિસ્તાની આંતકવાદી ફરાર થયા હતા
કચ્છમાં 26 જાન્યુઆરીએ આવેલ ભૂકંપનાં કારણે ભુજ મધ્યે આવેલ જેલ ધ્વસ્ત થઇ ગઈ હતી. જેલમાં સજા કાપી રહેલા 181 કેદીઓ ફરાર થઇ ગયા હતા. ફરાર તમામ કેદીઓને શોધવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં 128 કાચા કામના કેદી તેમજ 23 પાકા કામના કેદીઓ 29 કેદીઓ પાસાના હેઠળ સજા કાપી રહ્યા હતા. ભૂકંપ કારણે તમામ કેદીઓ નાસી છુટવામાં સફળ રહ્યા હતા. જોકે, પોલીસ આખરે 181 કેદીમાંથી 145 ભાગેડુ કેદીઓને ઝડપી પાડવામાં સફળ રહી હતી જ્યારે નાસી ગયેલા 36 કેદીઓ વિરુધ્ધમાં ભુજ એ ડીવીઝન પોલીસ સ્ટેસનમાં ગુનો પણ દાખલ થયો હતો. તાજેતરમાં એક આરોપીને મુંબઇથી ઝડપી પાડવામાં આવ્યો છે.
બંને આતંકીઓ આરડીએક્સ હથિયાર સાથે ઝડપાયા હતા
આજે ઘટનાને 19 વર્ષ જેટલો સમયગાળો વિતી ગયા છતા 35 આરોપી હજુ પણ લાપતા છે. આ ફરાર આરોપીઓમાં બે પાકિસ્તાની આંતકવાદીઓ સુલતાન સેયદ અને ફકીર મુનાવર બટ્ટી (રહે કરાંચી) પણ સામેલ હતા બંને આતંકીઓ કચ્છ સરહદ નજીક થઈ આરડીએક્સ હથિયાર સાથે ઝડપાયા હતા. આરોપી પાસેથી 24 કિલ્લો આરડીએક્સ, 572 જીવતા કારતુસ ઓટો મેટીક રાઈફલ, દારૂગોળો તેમજ 72 રિવોલ્વર સાથે જડપી પાડવામાં આવ્યા હતા. 19 વર્ષ જેટલો સમયગાળો વિતી ગયા છતાંપણ પાકિસ્તાની ખુંખાર આરોપી ભારતીય એજન્સીઓના હાથે લાગ્યા નથી.