ગોવાની મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ઓક્સિજનનો સપ્લાય બંધ થઈ જતા કોરોનાના 26 દર્દીઓના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે.
ગોવાની સરકારી મેડિકલ હોસ્પિટલની ઘટના
રાતના 2 થી 6 વચ્ચે હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટ્યો
ઓક્સિજન ખૂટતા દર્દીઓ તરફડવા લાગ્યા
કોરોનાના 26 દર્દીઓના કરુણ મોત
ગોવાના હેલ્થ મિનિસ્ટર વિશ્વજીત રાણેએ જણાવ્યું કે સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (GMCH) માં કોરોનાના 26 દર્દીઓના મોત નીપજ્યાં છે. તેમણે કહ્યું કે ઓક્સિજન સપ્લાય અટકી જતા આ ઘટના બની છે. તેમણે જણાવ્યું કે હાઈકોર્ટ દ્વારા આ ઘટનાની તપાસ થવી જોઈએ. મંત્રીએ જણાવ્યું કે ઘટના રાતના 2 અને 6 ની વચ્ચે બની હતી.
સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં કોરોનાના 26 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર હતા. રાતના લગભગ 2 થી 6 ની વચ્ચે અચાનક ઓક્સિજન સપ્લાય ધીમો પડ્યો હતો. આથી દર્દીઓને ગભરાટ થવા લાગ્યો હતો.
Visited #COVID19 wards in GMC today to inquire about the well being of the patients, our medical team and also to understand the shortcomings in the facilities. Our Doctors and Healthcare workers are doing their best on the frontline. 1/2 pic.twitter.com/JX5VHxdyZ7
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) May 11, 2021
દુર્ઘટનાની ખબર મળતા ચીફ મિનિસ્ટર પ્રમોદ સાવંત અધિકારીઓ સાથે મેડિકલ હોસ્પિટલમાં દોડી આવ્યાં હતા અને જાણકારી મેળવી હતી. હોસ્પિટલની મુલાકાત બાદ મુખ્યમંત્રી સાવંતે જણાવ્યું કે મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા અને કોવિડ વોર્ડમાં ઓક્સિજનના સપ્લાય વચ્ચે ગેપ પડતાં દર્દીઓને પરેશાની થવાની સંભાવના છે. જોકે તેમણે આગ્રહપૂર્વક જણાવ્યું કે રાજ્યમાં ઓક્સિજનની કોઈ અછત નથી.
24 કલાકમાં 3.29 લાખ નવા મામલા
ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે. જો કે રોજ સામે આવનારા નવા મામલામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં 3.29 લાખ નવા મામલા સામે આવ્યા છે. ગત દિવસોની સરખામણીએ લગભગ 37 હજાર ઓછા છે.
મહારાષ્ટ્રમાં 30 માર્ચ બાદ સૌથી ઓછા કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર મહારાષ્ટ્રમાંસ સોમવારે કોરોના વાયરસના 37, 236 નવા મામલા સામે આવ્યા છે. જે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 51,38,973 થઈ ગઈ છે. હાલ રાજ્યમાં 5, 90,818 એક્ટિવ કેસ છે. જેમની સારવાર ચાલી રહી છે. 549 લોકોના મોત બાદ કુલ મોતનો આંકડો વધીને 76398 થઈ ગયો છે. અત્યાર સુધી કુલ સાજા થનારા દર્દીની વાત કરીએ તો આ સંખ્યા 44,69,425 થઈ ગઈ છે. ગત એક દિવસમાં 61, 607 લોકો સાજા થઈ ચૂક્યા છે.