26/11ના હોટલ તાજમાં થયેલા આતંકી હુમલાંમાં મૃત્યુ પામેલા દીવના રહેવાસી અમરચંદના પરિવારને હજી સુધી મૃત્યુનું પ્રમાણપત્ર મળ્યુ નથી. આ હુમલામાં અનેક બહાદુર સૈનિકો તથા માછીમારોની આતંકવાદીએ બેરહમીથી હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ આ કુબેર બોટને નિશાન પર લઈને મુંબઈની તાજ સુધી પહોચ્યા હતાં.
26/11 ના હુમલામાં મૃત્યુ પામેલા ટંડેલના પરિવારની વ્યથા
11 વર્ષ થયાં છતાં ટંડેલના મૃત્યુનું નથી મળ્યું પ્રમાણપત્ર
સરકાર રસ દાખવે તો મળી શકે ન્યાય
આ કુબેર બોટમાં રહેલા માછીમારોને એક પછી એકને મોતના ધાટ ઉતાર્યા હતાં. જ્યારે કુબેર બોટના ટંડેલ અમરચંદને હોટલ તાજ સુધી પહોંચવા માટે જીવતો રાખવામાં આવેલો તેના પર ચાકુ રાખીને મુંબઈની તાજ હોટલ સુધી લઈ જવામાં આવ્યા હતાં.
અમરચંદનું ગળું કાપીને કરાઈ ઘાતકી હત્યા
જો કે, મુંબઈ પહોંચ્યા પછી તરત જ અમરચંદનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી અને હોટલ તાજ પર હુમલો કર્યો હતો. આ ઘટનાને 11 વર્ષ થયા પછી પણ મુંબઈ સરકાર દ્વારા અમરચંદનાં પરિવારને મૃત્યુનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી.