ધોરણ 10નું પરિણામ 25 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે, સવારના 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ GSEBની વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડની ધોરણ 10ની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 10નું પરિણામ 25 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. સવારના 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ GSEBની વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશે.ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ લેવાઈ ગઈ હતી ત્યારે હવે ગુજરાતમાં આ પરીક્ષાર્થીઓ પોતાના પરીણામની રાહ જોઈને બેઠા છે. ત્યારે ધોરણ 10ના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. બે દિવસ બાદ એટલે કે 25 મેના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. ગુરુવારે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યારે ધોરણ 12નું પરિણામ પણ 30 તારીખની આસપાસ જાહેર થઈ શકે છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ જાણી શકે છે. આ માટે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવાનો રહેશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને SR નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તા-01-07-2022ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા.-01-01-2023ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ 9.98 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા-01-07-2022 તથા તા.01-01-2023ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન-2023ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-2023ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર-2023ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 4,516 કરોડનું નાણાકીય ભારણ વધશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ટૂંક સમયમાં 500 કે 1000 નહીં પરંતુ 6000 પદો પર બમ્પર ભરતી કરવામાં આવશે. હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ભરતીને લઈને ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે મહત્વની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ભરતી કરવામાં આવશે.હસમુખ પટેલે જણાવ્યું છે કે, મહેસૂલ વિભાગ અંતર્ગત ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરાશે. આ માટે સપ્ટેમ્બર મહિનામાં પ્રિલિમનરી પરીક્ષા લેવાઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે આ પરીક્ષા નવી પરીક્ષા પદ્ધતિ મુજબ લેવાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. એસટી બસના ડ્રાઇવર - કંડકટરની ભરતી કરાશે જેમાં 2100 જગ્યા ડ્રાઈવર સમકક્ષની ભરતી કરાશે જ્યારે 1300 જગ્યાઓ કંડક્ટર કક્ષાની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.પાપ્ત વિગતો મુજબ એસટી નિગમમાં મિકેનિકલની પણ ભરતી કરવામાં આવશે તેમજ કંડક્ટરની 1300 જગ્યા ભરવામાં આવશે જ્યારે 2100 ડ્રાઈવરની જગ્યા પણ ભરવામાં આવશે. અત્રે તમને જણાવી દઈએ કે, આગામી દિવસોમાં નોટિફિકેશન બહાર પાડાશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 23, 2023
રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચે વીમાને લઈને મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. જે મુજબ માર્ગ અકસ્માત સમયે વાહનચાલક પાસે લાયસન્સ ન હોય તો પણ વીમા કંપીઓ વીમાના દાવાને નકારી શકે નહીં. એક અરજી પર સુનાવણી કરતી વખતે ગ્રાહક કોર્ટે મૃતકની પત્નીને વીમાના 11 લાખ 25 હજાર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ કેસ વિશે વિગતવાર વાત કરીએ રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ રવિનાબેન વસાવા નામની એક મહિલાએ રજૂઆત કરી હતી કે તેમના પતિ બિપીનભાઈ વસાવાનું 11 જૂન 2021ના રોજ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમના પતિ બિપીનભાઈ વસાવા પાસે 15 લાખની પર્સનલ એક્સિડન્ટે આવરી લેતી પોલિસી હતી. તેથી પતિના અવસાન બાદ રવિનાબેને વીમા કંપની પાસે વીમાની રકમ માટે દાવો કર્યો હતો.
આતંકવાદી પ્રવૃતિને રોકવામાં ગુજરાત ATS એ વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી. ATS એ આરોપી જહાંગીર, અઝરૂલ ઈસ્લામ, આકાશ ખાનને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. મેટ્રો કોર્ટે ત્રણેય આરોપીઓનાં 7 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસ માટે ATS એ 14 દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે રિમાન્ડ માટે ATS એ 11 વિવિધ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આરોપી પાસેથી જપ્ત કરવામાં આવેલા 46 હજાર રૂપિયા ક્યાંથી ઉઘરાવ્યા તેની તપાસ જરૂરી છે. આરોપીએ એક મોબાઈલ નારોલ વિસ્તારમાં ફેક્યો હોવાની તપાસ આરોપીઓને સાથે રાખી કરવી જરૂરી છે. ત્યારે ત્રણેય આરોપીઓ વર્ષ 2016થી પ્રતિબંધિત અલ કાયદાના સક્રિય સભ્ય હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. આરોપીઓએ અલ કાયદા સાથે રહી ભારતમાં ક્યાં આંતકવાદી કૃત્યને અંજામ આપવામાં હતા તે તપાસ જરૂરી છે. તેમજ આરોપીઓએ કેટલા લોકોને અલ કાયદામાં જોડ્યા તે અંગે પણ તપાસ કરવી જરૂરી છે. અત્રે તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં બેઠેલા માસ્ટરમાઈન્ડના આદેશથી આ સમગ્ર ષડયંત્ર ચાલતું હતું, જે ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું ષડયંત્ર ચલાવી રહ્યો હતો. વિદેશથી આતંકવાદ માટે ભંડોળ એકત્ર કરવાના પણ કેટલાક પુરાવા હાથે લાગ્યાની માહિતી છે. આ ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા ષડયંત્રનો ગુજરાત એટીએસએ પર્દાફાશ કર્યો છે.
ભણશે ગુજરાત...આગળ વધશે ગુજરાત... સરકારે ખૂબ સુંદર સૂત્ર આપ્યું છે. રાજ્યમાં સ્કૂલ માફિયાઓને નિયંત્રણમાં રાખવા ફી માટે કાયદાઓ પણ છે. તેમ છતાં રાજ્યમાં વાલીઓ બેફામ લૂંટાઈ રહ્યા છે. ખાનગી ટ્યુશનના નામે સ્કૂલ સાથે સેટલમેન્ટ કરનાર આવા જ એક મસમોટા કૌભાંડનો VTV ન્યૂઝે આજે પર્દાફાશ કર્યો છે. ત્યારે કેવી રીતે શાળાઓ અને ટ્યુશન સંચાલકો સાથે મળીને વાલીઓના ખિસ્સા ખંખેરી રહ્યાં છે અને કેવી રીતે ભણતરના નામે સ્કૂલો મસમોટી કમાણી કરે છે?. ગુજરાતમાં શિક્ષણના પવિત્ર વ્યવસાયનું વેપારીકરણ થઇ રહ્યું છે. પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત વાલીઓનો આકાશ ઇન્સ્ટિટ્યૂટ અને એલન ઇન્સ્ટિટ્યૂટ જેવી ખાનગી સંસ્થાઓ ગેરલાભ લઇ રહી છે. વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બેફામ ખર્ચ કરવા મજબૂર બન્યા છે. ત્યારે VTV ન્યૂઝે પણ પ્રજાહિતને સર્વોપરી માનીને શિક્ષણના વેપારનો કાળો કારોબાર કરતી આકાશ ઇન્સ્ટિટ્યૂટ અને એલન ઇન્સ્ટિટ્યૂટનું ખાસ સ્ટિંગ ઓપરેશન કર્યું છે.
અમદાવાદમાં BRTS બસે વિદ્યાર્થીને અડફેટે લેતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો.ત્યારે મણિનગર રેલ્વે ફાટકથી જયહિંદ ચાર રસ્તાનાં રૂટ પર સ્વામીનારાયણ મંદિરનાં ટાવર સામે અકસ્માત થયો હતો. ક્લાસીસ પૂર્ણ કરીને વિદ્યાર્થી BRTS રેલિંગ ઓળંગી રહ્યો હતો. તે દરમ્યાન ઘટના બનવા પામી હતી. BRTS બસની અડફેટથી વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોચવા પામી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ બસ ચાલકને માર માર્યો હતો. બસ ચાલક સાથે મારામારી થતા સ્થાનિક પોલીસે પહોંચી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી.આ બાબતે ડ્રાઈવરે જણાવ્યું હતું કે BRTS કોરીડોરમાંથી મારી ગાડી પસાર થઈ હતી. ત્યારે મેં હોર્ન માર્યો. તે સમયે વિદ્યાર્થી ઉભો રહ્યો. જે બાદ હું નીકળ્યો હતો જે બાદ વિદ્યાર્થી કૂદકો મારીને આગળ નીકળી ગયો હતો. તે સમયે મેં બ્રેક મારી દીધી હતી અને વિદ્યાર્થી બસ સાથે ટકરાઈને નીચે પડ્યો હતો. ગાડીમાં લગભગ 10 થી 15 જેટલા પેસેન્જરો હતા. અકસ્માત સમયે અહીંયા જે લોકો ઉભા હતા. તે લોકો મને મારવા લાગ્યા હતા. આ બાબતની જાણ અમારા સાહેબને કરી છે તેઓ હમણાં આવે છે તેમ કહ્યું હતું.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ સિવિલ સર્વિસીસ 2022 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. મહત્વનું છે કે, પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર તેમનું પરિણામ જોઈ શકે છે. વિગતો મુજબ ઈશિતા કિશોરે પરીક્ષામાં AIR 1 રેન્ક મેળવ્યો છે. તેણી પછી ગરિમા લોહિયા, ઉમા હાર્થી એન અને સ્મૃતિ મિશ્રા હતા.UPSCનું રિઝલ્ટ જાહેર થતા દેશની દીકરીઓએ ડંકો વગાડ્યો છે. વાત જાણે એમ છે કે, પરિણામ જાહેર થતાં ટોપ-5 માં 4 મહિલાનો સમાવેશ થાય છે. UPSC પરીક્ષાને દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષા માટે તૈયારી કરે છે. જેમાંથી ઘણા ઓછાને આમાં સફળતાં મળે છે. ત્યારે આજે પરિણામ જાહેર થતાં દેશની દીકરીઓએ ડંકો વગાડ્યો છે. સિવિલ સર્વિસીસ પરીક્ષાના અંતિમ પરિણામમાં કુલ 933 ઉમેદવારોની નિમણૂક માટે પસંદગી કરવામાં આવી છે. આમાંથી 345 ઉમેદવારો બિનઅનામત, 99 EWS, 263 OBC, 154 SC અને 72 ઉમેદવારો ST કેટેગરીના છે. IAS પદ માટે પસંદગી માટે 180 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 178 ઉમેદવારોની અનામત યાદી પણ તૈયાર કરવામાં આવી છે.
UPSC declares 2022 Civil Services Exam results.
Ishita Kishore, Garima Lohia and Uma Harathi N secure the top three ranks, respectively pic.twitter.com/ulJZnG7JBi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાની બે દિવસની મુલાકાતે છે. તેમણે સિડનીના કુડોસ બેંક અરેનામાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ગણપતિ બાપ્પા મોર્યા, ભારત માતા કી જય અને મોદી-મોદીના નારા જોરશોરથી લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીની સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ સિડનીના ઓલિમ્પિક પાર્કમાં સ્થિત આ સ્ટેડિયમમાં પીએમ મોદી 20 હજાર ભારતીયોને સંબોધિત કર્યાં હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અને મારા પ્રિય મિત્ર એન્થોની આલ્બેની, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન, વિદેશ મંત્રી, સંચાર મંત્રી, ઊર્જા મંત્રી, વિરોધ પક્ષના નેતા, તમામ સભ્યો અને આટલી મોટી સંખ્યામાં પધારેલા ઓસ્ટ્રેલિયાના તમામ લોકોને મારી શુભેચ્છા.
VIDEO | “The last time I saw someone here on the stage was Bruce Springsteen (American singer), but even he didn’t get the welcome that PM Modi has received,” says Australian PM Anthony Albanese. pic.twitter.com/CLMQ8X0SD9
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે કુસ્તીબાજો કેન્ડલ માર્ચ કાઢી રહ્યા છે. જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી આ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી રહી છે. આ કૂચમાં અનેક લોકો જોડાયા છે. પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક પણ કુસ્તીબાજોને સમર્થન આપવા ઈન્ડિયા ગેટ પહોંચ્યા છે.ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ આ કેન્ડલ માર્ચમાં જોડાયા છે. આ દરમિયાન કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે અમારી બહેનોનું સન્માન અમારા માટે જીવ કરતા પણ વધારે છે. જ્યાં સુધી દેશની દીકરીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન આમ જ ચાલુ જ રહેશે. ઘણા લોકો આ આંદોલનને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. તેથી હું તમને વિનંતી કરું છું કે તમે અમને આ રીતે સમર્થન આપતા રહો.
દિલ્હીમાં સરકારી અધિકારીઓનો ટ્રાન્સફર અને પોસ્ટિંગનો મામલો ગરમાઈ રહ્યો છે. જેમાં કેન્દ્રના વટહુકમ સામે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા દેશ વ્યાપી સમર્થનમાં જોડાવા અભિયાન શરૂ કરાયું છે. આ મામલે સમર્થન મેળવવાના આશયથી AAP નેતા અરવિંદ કેજરીવાલે મંગળવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પ્રેસ કોન્ફ્રરન્સનું આયોજન કરાયું હતું. જેમાં મમતાએ દિલ્હી સરકારને ખુલ્લે આમ ટેકો આપ્યો હતો અને તેઓએ આ વટહુકમનો વિરોધ કરવા ખાતરી આપી હતી. વધુમાં એમ પણ કહ્યું હતું કે અમને ડર છે કે કેન્દ્ર સરકાર સંવિધાન પણ બદલી શકે છે. આવી સ્થિતિ હોવાથી કોંગ્રેસે આપને સમર્થન આપવુ જોઈએ.વટહુકમ મામલે આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ મંગળવારે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. જેની સાથે પંજાબના સીએમ ભગવંત માન, રાજ્યસભાના સાંસદ સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા અને મંત્રી આતિશી સિંહ સહિતના નેતાઓ જોડાયા હતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા બાદ તમામે કેન્દ્ર સરકાર પર આકરો વિરોધ નોંધાવ્યો હતો.
Kejriwal meets West Bengal CM Mamata Banerjee to ensure bill on Delhi services is not passed in Rajya Sabha