ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 3.46 કરોડ કેસ નોંધાયા છે, જ્યારે મહામારીના કારણે 4.6 લાખ લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, આ જાણકારી કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સંસદમાં આપી હતી.
લોકસભામાં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનુ નિવેદન
કોરોનાથી ભારતમાં સૌથી ઓછુ મૃત્યુદર- માંડવિયા
કોરોનામાં દેશ એકજુથ રહ્યુ
મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં પ્રતિ 10 લાખ જનસંખ્યા પર 25,000 કોવિડ કેસ અને 340 મોત નોંધાયા છે.
કેન્દ્ર સરકારના આરોગ્યમંત્રીએ કર્યા વખાણ
કેન્દ્રીયમંત્રીએ કોરોનાથી લડવા માટે કેન્દ્ર સરકારના વખાણ પણ કર્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું કે, મોદી સરકાર હેઠળ, નબળા આરોગ્ય ઢાંચાને મજબૂત કરવા માટેનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. સ્વાસ્થ્યના પાયાના ઢાંચાને નજરઅંદાજ કરનારી ગત સરકારોને દોષ આપ્યા વગર સરકારે પરિણામ માટે કામ કર્યું. ગત 2 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નિર્ણયો જોવા મળ્યા છે કે, આ સરકાર ઈચ્છાશક્તિની સાથે કામ કરે છે, શક્તિથી નહીં.
દેશમાં કોરોનાની સ્થિતિ
દેશમાં ભલે કોરોના સંક્રમણના મામલા હાલમાં વધારે નથી. પરંતુ નવા કેસોની સંખ્યા રિકવર થનારા લોકોથી વધારે હોવાના કારણે ચિંતા વધી છે. શુક્રવારે સતત બીજા દિવસે રિકવર થનારા લોકોથી વધારે નવા કેસ આવ્યા છે. ગત એક દિવસમાં 9, 216 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે રિકવર થનારા આંકડામાં 8612 રહી ગયા છે. આ સાથે એક વાર ફરી એક્ટિવ કેસની સંખ્યા 1 લાખને પાર પહોંચી ગઈ છે. હાલમાં દેશમાં કોરોનાના સંક્રિય મામલામાં સંખ્યા 99, 976 છે. જે આવનારા દિવસોમાં એક લાખને પાર પહોંચી શકે છે.
જો કે હજું પણ રાહતની વાત એ છે કે કુલ મામલાની સરખામણીએ એક્ટિવ કેસની ટકાવારી માત્ર 0.29 ટકા રહી છે. આ આંકડા માર્ચ 2020 બાદથી અત્યાર સુધી સૌથી ઓછી છે. આ ઉપરાંત ડેલી પોઝિટિવિટી રેટ 0.80 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 0.84 પર્સેટ બનેલો છે. દેશમાં ગત કેટલાક મહિનાઓમાં તેજીથી રસીકરણ થયું છે. અને અત્યાર સુધીમાં કુલ 125.75 કરોડથી વધારે રસી લગાવી ચૂક્યા છે. મનાઈ રહ્યું છે કે આ ઉપરાંત કોરોનાની સ્પીડ રોકાઈ છે. પરંતુ હવે ઓમિક્રોન વેરિએન્ટનું સંકટ વધ્યું છે. હાલમાં સ્ટડી કરવામાં આવી રહી છે કે વેરિએન્ટ રસીને માત આપી શકે છે કે નહીં.
કર્ણાટકમાંથી ઓમિક્રોનના 2 કેસ મળ્યા
જો આ વેરિએન્ટ રસીને હરાવવા માટે સક્ષમ નથી તો પછી આ ભારત માટે મોટી રાહત હશે કેમ કે દેશમાં તેજીથી રસીકરણ ચાલી રહ્યું છે. આ દરમિયાન કર્ણાટકમાં 2 કેસ મળ્યા છે. તે બાદ દેશમાં એલર્ટની સ્થિતિ છે. આ બાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તપાસ તેજ કરી દેવામાં આવી છે. ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવેલા 5 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.