AAP અને કોંગ્રેસ મળીને 250 કાર્યકતાઓ ભાજપમાં જોડાયા, પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું કિસાનોને ગુમરાહ કરી પંજાબમાં સરકાર બનાવવામાં AAP સફળ રહી પણ ગુજરાતમાં આવું નહીં
વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ
AAP અને કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયા
50થી વધુ બેઠકો જીતવાના AAPના દાવા પર ભાજપનો વળતો જવાબ
દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવ્યા બાદ હવે AAP ગુજરાતમાં પગપેસારો કરી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આમદમી પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. ત્યારે 2022ની ચૂંટણી અગાઉ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાઈ ચૂક્યો છે. AAP અને કોંગ્રેસને ભાજપે વધુ એક ફટકો આપ્યો છે.આજે કમલમ ખાતે ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની આગેવાની AAP અને કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયા છે. ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાએ આશરે 250 જેટલા AAP અને કોંગ્રેસના કાર્યકરોને ખેસ પહેરાવી ભાજપની વિચારધારા સાથે જોડ્યા છે.
પંજાબની જનતાને AAPએ ગુમરાહ કરી પણ ગુજરાતની જનતા ગુમરાહ થશે નહીં: પ્રદીપસિંહ વાઘેલા
મધ્યગુજરાતના આ કાર્યકરોને જોડતા મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું હતું કે આજે BJP માં જોડાવવા માટે હું તમામનું સ્વાગત કરું છું. AAP અને કોંગ્રેસ મળીને 250 કાર્યકતાઓ ભાજપમાં જોડાયા. દિવસ રાત એક કરીને વડાપ્રધાન કામ કરી રહ્યા છે, લાંબા સમયથી ગુજરાતમાં બીજેપીનું શાસન છે. કિસાનોને ગુમરાહ કરી પંજાબમાં સરકાર બનાવવામાં AAP સફળ રહી છે. હમણાં રોડ શો માટે દિલ્લી અને પંજાબના મુખ્યમંત્રીઓ આવ્યા પણ એમના આવવા ન આવવાથી ગુજરાતની જનતા ગુમરાહ થશે નહીં. કેન્દ્રની અંદર સતત 2014થી 8 વર્ષથી નરેન્દ્ર મોદી PM છે. ખૂબ મોટી સંખ્યામાં રાજકીય કાર્યકતાઓ જોડાયા તેમનું સ્વાગત છે. આવનાર ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થવાનો છે
LIVE: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે રાજકીય અગ્રણીઓનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત.https://t.co/KovunM8aFS
ચૂંટણીમાં 50થી વધુ બેઠકો જીતવાનો AAPનો દાવો
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, વહેલી ચૂંટણી થવાની શક્યતાઓ વચ્ચે રાજકીય માહોલ જામ્યો છે. તેમજ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધ્યા છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને AAP દ્વારા મહત્વનો દાવો કરવામાં આવ્યો. ચૂંટણીમાં 50થી વધુ બેઠકો જીતવાનો AAP દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન AAPના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા જીતનો દાવો કરવામાં આવ્યો હતો.
પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકે કહ્યું નંબર 1 પર AAP આવશે
તો સાથે જ અન્ય એક પાર્ટી કાર્યકરે સંબોધનમાં જણાવ્યુ કે અમે કોઇ પાર્ટીને હરાવવા નથી માગતા અમે તો બસ જનતાને જીતાડવા માંગીએ છીએ. ગુજરાતમાં સ્કૂલ બને, હોસ્પિટલ બને અને બેરોજગારી દૂર થાય અને લોકોને મિનિમમ વેતન પુરતુ મળી રહે.આપ ના નવનિયુક્ત પ્રદેશ પ્રભારી રાજ્યસભાના સાંસદ ડૉ. સંદીપ પાઠક ગુજરાત પહોંચ્યા અને ચાર્જ સાંભળ્યો. સંદીપ પાઠકનું કાર્યકતૉએ ભવ્ય સ્વાગત કર્યું ત્યારે પાઠકે જણાવ્યું કે મને ગુજરાત પ્રભારી તરીકેની જવાબદારી મને સોંપવામાં આવી છે, પ્રભારીનો મતલબ એ છે કે રાજ્ય ના પ્રદેશના નેતાઓ સાથે રહીને આગળ ની રણનીતિનું આયોજન કરવું એનું નિર્વહન કરવું. અમે ગુજરાતમાં ચૂંટણીમાં નંબર 2 કે નંબર 3 પર આવવા માટે નથી લડી રહ્યા અમે તો નંબર 1 પર આવા માટે લડી રહ્યા છીએ, અને એ પણ જનતા નક્કી કરશે. વધુમાં પાઠકે કહ્યું કે તાજેતરમાં જ સરકાર ની એક એજન્સીનો રિપોર્ટ આવ્યો છે અને એના કેહવા પ્રમાણે આમ આદમી પાર્ટી 55 સીટો પર જીત મેળવી શકે છે, એવું ભાજપની જ અંદરૂની એજન્સીનુ કહેવુ છૈ, તેમજ આમ આદમી પાર્ટીના સાયન્ટિફિક સર્વે રિપોર્ટ પ્રમાણે આમ આદમી પાર્ટી ને 58 સીટો પર વિજય મળી શકે તેમ છે.
4 રાજ્યોમાં AAPની ડિપોઝિટ જપ્ત થઈ: હિતેન્દ્ર પટેલ, ભાજપ પ્રવક્તા
AAPની 55 બેઠકોની જીત અંગે ભાજપનાં પ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. AAP પાર્ટીને વળતો જવાબ આપતા કહ્યું કે 2 રાજ્યોમાં સતા બાદ AAP ગુજરાતમાં જીત અંગે વાત કરે છે. 5 રાજ્યોની ચૂંટણીમાં એક રાજ્યમાં સફળતા મળી છે.UP, ઉત્તરાખંડ અને ગોવા ડિપોઝીટ ડુલ થઈ છે. ગુજરાતના જીતના AAP સપના જોઈ રહી છે પણ ભાજપને 2022માં ફરી એકવાર સફળતા મળશે.