કોરોના મહામારી વચ્ચે પણ રાજકારણ ગરમાયેલું રહે છે, આવતા વર્ષે યોજાવનારી ચૂંટણી પહેલા જ ઘણા ધારાસભ્યો વચ્ચે મતભેદ સર્જાયા હોય તેવું સામે આવ્યું છે.
કોરોના સંકટ વચ્ચે પંજાબમાં વધ્યું રાજકારણનું સંકટ
કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ધારાસભ્યો સહિત મંત્રીઓને દિલ્હી બોલાવ્યા
આ માટે કોંગ્રેસ હાઇકમાંડે ત્રણ સભ્યોની પેનલ બનાવી છે
કોરોના સંકટ વચ્ચે પંજાબમાં વધ્યું રાજકારણનું સંકટ
કોરોના મહામારી વચ્ચે પણ રાજકારણ ગરમાયેલું રહે છે, આવતા વર્ષે યોજાવનારી ચૂંટણી પહેલા જ ઘણા ધારાસભ્યો વચ્ચે મતભેદ સર્જાયા હોય તેવું સામે આવ્યું છે. પંજાબમાં જ્યારે ચૂંટણીના આગમન માટેની પૂર્વતૈયારી ચાલી રહી છે ત્યાં આ સમાચારને લઈ કોંગ્રેસમાં વિખવાદ થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે માની શકાય છે. હવે આ મામલો છેક દિલ્હી કોંગ્રેસ સુધી પહોંચી ગયો છે.
કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ધારાસભ્યો સહિત મંત્રીઓને દિલ્હી બોલાવ્યા
કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ધારાસભ્યો સહિત મંત્રીઓને દિલ્હી બોલાવ્યા છે. આ બધા જ લોકો હવે દિલ્હીમાં કોંગ્રેસની ત્રણ સભ્યોની પેનલ સાથે વાત કરશે અને પોતાની સમસ્યા જણાવશે. કોંગ્રેસના લગભગ 2 ડઝન જેટલા ધારાસભ્યો જેમાં સુનિલ ઝાખડ, મંત્રી ચરણજીત, સુખજિંદર રંધાવા પણ આ બેઠકમાં સામેલ થવા રવાના થયા છે. માનવામાં આવે છે કે કોંગ્રસે ગત વર્ષે ચૂંટણી દરમિયાન જે જે પણ વાયદાઓ કર્યા હતા તે વાયદાઓ મંત્રીઓએ પૂરા ના કરતાં સમગ્ર મામલો વધી ગયો હતો અને એકબીજા પર આરોપ કરવાનું શરૂ કર્યું હતું. સાથે જ બધા ધારાસભ્યો કેપ્ટન અમરિન્દર સિંહને લઈ સવાલો કરી રહ્યા છે.
આ માટે કોંગ્રેસ હાઇકમાંડે ત્રણ સભ્યોની પેનલ બનાવી છે
આ માટે કોંગ્રેસ હાઇકમાંડે ત્રણ સભ્યોની પેનલ બનાવી છે, જેની શરૂઆત હરીશ રાવત કરી શકે છે. આ ઉપરાંત મલ્લિકાર્જુન અને જેપી અગ્રવાલ જોડાઈ શકે છે. આજે એટલે કે સોમવારે આ બેઠક શરૂ થવાની સંભાવના છે. કોંગ્રેસના લગભગ 2 ડઝન જેટલા ધારાસભ્યો જેમાં સુનિલ ઝાખડ, મંત્રી ચરણજીત, સુખજિંદર રંધાવા ત્રણ સભ્યો સાથે ચર્ચા કરશે.