રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3,255 નવા કેસ નોંધાયા, તો 44 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, આજે 2,28,810 લોકોને વેક્સિન આપવામાં આવી
ગુજરાતમાં સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ
ગત 24 કલાકમાં કોરોનાના 3,255 નવા કેસ
44 દર્દીઓના મોત, 9,676 દર્દીઓ થયાં સાજા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3,255 નવા કેસ નોંધાયા છે, તો 44 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 44 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,665 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 9,676 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,22,741 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 603 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 62,506 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 1,56,01,373 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,56,01,373 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,28,810 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 491 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 226 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 197 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 335 કેસ, જ્યારે ગ્રામ્યમાં 127 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 137 કેસ અને ગ્રામ્યમાં 78 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત.....