બિહારઃ મુઝફ્ફરપુરમાં શ્રાવણના ત્રીજા સોમવારે સવારના સમયે ગરીબનાથ મંદિરમાં જળાભિષેક દરમિયાન ભાગદોડ સર્જાય હતી. આ ભાગદોડમાં કેટલાક કાવડિયાઓ સહિત 25 લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે. ઇજાગ્રસ્તોમાં મહિલાઓ અને બાળકો સામેલ છે.
આજે શ્રાવણના ત્રીજા સોમવારના કારણે શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. જણાવાય રહ્યું છે કે અહીં શ્રાવણમાં લાખોની સંખ્યમાં લોકો એકત્રિત થાય છે.
15 people have got injured in a stampede at Garibnath Temple in Muzaffarpur this morning. The situation is now under control. #Biharpic.twitter.com/d8yR7FaicD
બિહાર સરકારે શ્રાવણ દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડને કાબૂમાં કરવાના તમામ દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ સોમવાર સવારે થયેલ દુર્ઘટનાથી તંત્રના દાવાની પોલ ખુલી ગઇ.
મુઝફ્ફરપુરના હરિ સભા ચોકની પાસે ભાગદોડની સ્થિતિ સર્જાઇ હતી. આ ઘટના જળાભિષેક દરમિયાન થયેલ જેમાં 25 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા. જેને સારવાર અર્થે મુખર્જી સેમિનરીમાં આવેલ મિની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.