દિલ્હીથી નજીક આવેલા ગાઝિયાબાદના મુરાદનગરમાં સ્મશાન ગૃહની છત પડવાની દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 25 લોકોના મૃત્યું થયા છે. આ દૂર્ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક ધ્યાન પર લઇને તત્કાલ રાહત પહોંચાડવા તેમજ કાર્યવાહી કરવાના આદેશ આપ્યાં.
જેને લઇને ઠેકેદાર, નગરપાલિકાની કાર્યપાલ અધિકારી સહિત કેટલાક લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. ત્યારે EO સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઠેકેદાર ફરાર છે.
નિહારિકા સિંહ - EO, મુરાદનગર નગરપાલિકા
ચંદ્રપાલ - જૂનિયર એન્જિનીયર
આશીષ - સુપરવાઇઝર
આ એ લોકો છે જેમની લાપરવાહીના ગાઝિયાબાદના મુરાદનગરમાં બે ડઝનથી વધારે લોકોની જીંદગી પર ભારે પડી છે. ગાઝિયાબાદ પોલીસે આ 4 લોકો સહિત કેટલાંક અન્ય લોકો સામે FIR દાખલ કરી છે. જો હવે એકશન ક્યારે લેવામાં આવે છે તેની રાહ છે. જ્યારે બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝિયાબાદ તંત્રને આ દૂર્ઘટનાને લઇને સંપૂર્ણ રીપોર્ટ ઝડપથી આપવા આદેશ કર્યો છે.
આ દૂર્ઘટના એટલી ભીષણ હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દુઃખી થયા હતા. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું, મુરાદનગરમાં થયેલ દૂર્ભાગ્યપૂર્ણ દૂર્ઘટનાના સમાચાર ખુબજ દુઃખ પહોંચાડે છે. રાજ્ય સરકાર રાહત અને બચાવ કાર્યમાં તત્પરતાથી લાગેલી છે. આ દૂર્ઘટનામાં જીવ ગુમાવનારના લોકોના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યકત કરુ છું, આ સાથે ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેમી પ્રાર્થન કરુ છે.
અંતિમ સંસ્કાર દરમિયાન પડી છત
પોતાના પરિવારજનોના અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટ પહોંચેલા પરિવાર અને સંબંધીઓને સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે વરસાદના કારણે બચવા માટે બનાવેલો જે શેડ છે તેની તરફ પગલું ભરી રહ્યાં છે, તે તેમના જીવનની જીવતી કબર બની જશે.
આઇવિટનેશ મુજબ તેના દાદાના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા અને બાકીના લોકો દૂર ઉભા જોઇ રહ્યાં હતા. આ દરમિયાન જોરથી ધડામ અવાજ આવ્યો તે તરફ દોડ્યા તો છતની નીચે કેટલાંક લોકો દબાયા હતા.
અત્યાર સુધીમાં 25 લોકોના મૃત્યું
આઇવિટનેસે જણાવ્યું કે આ દૂર્ઘટનામાં તેમના કાકાનું પણ મૃત્યું થઇ ગયુ છે જ્યારે મોટા કાકાના દિકરો હજુ પણ કાટમાળ નીચે દબાયેલો છે. આઇવિટનેસના જણાવ્યાં મુજબ તેમના પિતાને ખભા પર ઇજા પહોંચી છે પરંતુ તેઓનો દૂર્ઘટનામાં આબાદ બચાવ થયો.
આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 25 લોકોના મૃત્યું થયા છે. મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રુપિયા આર્થિક સહાયતા આપવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
યોગી આદિત્યનાથે આપ્યા હતા તપાસના આદેશ
આ ઘટનાની નોંધ લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક રાહત પહોંચાડવા અને કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે આ કેસનો તપાસ અહેવાલ પણ માંગ્યો છે.