ભાજપ શાસિત આણંદ ન.પામાં શહેરના વિકાસના કાર્યો માટે સાંસદ મિતેશ પટેલે કાઉન્સિલરોની એક ખાસ બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં પ્રમુખ સહિત 25 કાઉન્સિલરો ગેરહાજર રહ્યાં.
આણંદ ભાજપના જૂથવાદથી સાંસદ નારાજ
સાંસદની બેઠકમાં પ્રમુખ સહિત 25 કાઉન્સિલરો ગેરહાજર
ગેરહાજર કાઉન્સિલરો સામે સાસંદ CMને રજૂઆત કરશે
આણંદ ભાજપ સંગઠનમાં જૂથવાદ સામે આવ્યો
છેલ્લા કેટલાક સમયથી આણંદ જિલ્લા ભાજપમાં જૂથવાદ વકર્યો હોવાની ચર્ચાઓ પણ ઊઠી હતી. ત્યારે આણંદ નગર પાલિકામાં શહેરના વિકાસના કાર્યો માટે સાંસદ મિતેષ પટેલ દ્વારા બોલાવામાં આવેલી કાઉન્સિલરોની એક ખાસ બેઠકમાં આણંદ નગરપાલિકાના પ્રમુખ સહિત 25 કાઉન્સિલરો ગેરહાજર રહ્યાં હતા. જેના પગલે સાંસદ નારાજ થઇ ગયા હતા.
સાસંદે બોલાવેલી બેઠકમાં પાલિકા પ્રમુખ સહિત 25 કાઉન્સિલરો રહ્યા ગેરહાજર
આમ, આણંદ ન.પામાં બે જૂથ પડી ગયા હોવાનું અત્યારથી સામે આવ્યું છે. જેને લઇને મામલો ગરમાયો હતો. ઉલ્લેખનીય છે કે, 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા પણ આણંદ ન.પાના કાઉન્સિલરોમાં બે જૂથપડી ગયા હતા. તેના કારણે આણંદ વિધાનસભા બેઠક ગુમાવવાનો વખત આવ્યો હતો. જેની ગંભીર નોંધ લેવાઇ હતી. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સંગઠન ભારે ખેંચતાણ ચાલી રહી છે.તેની વિપરીત અસર વિકાસના કામો પડી રહી છે.
ગેર હાજર રહેલા કાઉન્સિલરો સામે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરાશે
ઉલ્લેખનીય છે કે, સાંસદ મિતેષ પટેલ પાલિકા પ્રમુખ સહિત ભાજપના 36 કાઉન્સિલરોને અગાઉ જ થી ફોન કરીને આણંદ પાલિકામાં શનિવારે વિકાસના કામો માટે મળનારની બેઠકમાં હાજર રહેવા જણાવ્યું હતું. પરંતુ પાલિકા પ્રમુખ રૂબલબેન પટેલ સહિત 25 કાઉન્સિલરો ગેરહાજર રહ્યાં હતા. આમ આણંદ શહેરના વિકાસના કામો માટે બોલાવેલી બેઠકમાં કાઉન્સિલરો ગેરહાજર રહેતા તે બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે. કાઉન્સિલરોની સાંસદ ગેરહાજરીના મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રીપોર્ટ કરવામાં આવશે તેમ મિતેશ પટેલે જણાવ્યું હતું