રાજ્યમાં થોડા સમયથી શાંત થયેલા કોરોના કેસમાં ફરી વધારો નોંધાઇ રહ્યો છે. આથી સાવચેતી રાખવી આવશ્યક બની છે. આજે 24 કલાકમાં કોરોનાના 247 નવા દર્દીઓ ઉમેરાયા છે.
ગુજરાતમાં આજે કોરોનાના 247 કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા 124 કેસ
ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 247 પોઝીટિવ કેસ નોંધાયા છે. તેમજ કોરાનાથી એકનું મોત થયું છે
અમદાવાદમાં નોંધાયા 124 કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 247 કેસ નોંધાયા છે. તેમજ 24 કલાકમાં 1 દર્દીનું મોત થયું છે. એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 1 હજારને પાર થઈ છે, રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1064 પર પહોંચી છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા 124 કેસ તેમજ રાજકોટમાં 24, સુરતમાં 23, અમરેલીમાં 19 કેસ નોંધાયા છે. મોરબીમાં 17, મહેસાણામાં 12, વડોદરામાં 9 કેસ તેમજ ગાંધીનગરમાં 4, જામનગર 4 , આણંદમાં 2 કેસ નોંધાયા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 22, 2023
હાલ રાજ્યમાં કોરોનાના કુલ 1064 એક્ટિવ કેસો છે. જેમાં 6 દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 550 લોકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે
98 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના 247 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.05 ટકા નોંધાયો છે. તેમજ આજે 98 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 1064 કોરોનાના એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 98 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે 550 લોકોને રસી અપાઈ છે.
કોરોનાથી સજા થવાનો દર 99.05 ટકા
વિશ્વમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં કોરોનાથી સજા થવાનો દર 99.05 ટકા છે. અત્યાર સુધીમાં 12,67,144 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જોકે ચીન સહિતના દેશોમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ફરીવાર ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસ વધ્યા છે. પરંતું હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.
દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 1134 કેસ
ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 1134 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,98,118 થઈ ગઈ છે. ત્યારે ભારતમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 7026 થઈ ગઈ છે. આજે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે એક-એક દર્દીના મોત બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,30,813 થઈ ગયો છે. મંત્રાલય દ્વારા આપવામાં આવેલ નવીનતમ માહિતી અનુસાર, ભારતમાં ચેપનો દૈનિક દર 1.09 ટકા છે અને સાપ્તાહિક દર 0.98 ટકા છે.
છ રાજ્યોમાં વધી રહ્યાં છે કોરોના કેસ
હાલમાં દેશમાં છ રાજ્યો દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને કેરળમાં કોરોના કેસ વધી રહ્યાં છે. હાલમાં વરસાદી માહોલ હોવાથી લોકો જલદી બીમારી પડી રહ્યાં છે.