કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કારણે સ્થગિત કરવામાં આવેલી બ્રિટેનની ફ્લાઈટો ફરી શરુ કરી દેવામાં આવી છે. ગુરુવારે બ્રિટનથી ફ્લાઈટ ફરી શરુ કરાઈ છે. ગુરુવારે બ્રિટનની પહેલી ફ્લાઈટ ભારત આવી રહી છે. 246 પ્રવાસી સવાર છે. ત્યારે ભારતથી બ્રિટન આવી રહેલી ફ્લાઈટ્સને બુધવારથી જ શરુ કરી દેવામાં આવી છે. ભારતના નવા સ્ટ્રેનના 73 મામલા સામે આવી ચૂક્યા છે. બ્રિટનમાં મળેલા આ નવા સ્ટ્રેનને એક્સપર્ટ પહેલાથી 70 ટકા વધારે સંક્રમિત ગણાવી રહ્યા છે.
ભારત અને બ્રિટનની વચ્ચે દર અઠવાડિયાની 30 ફ્લાઈટ રહેશે
પ્રવાસીઓને 14 દિવસ ક્વોરેન્ટાઈનના સમય પુરો કરવાનો રહેશે
બ્રિટનથી ભારત આવનારી ફ્લાઈટ્સની સંખ્યા 50 ટકા સુધી ઓછી કરાયી
ભારત અને બ્રિટનની વચ્ચે દર અઠવાડિયાની 30 ફ્લાઈટ રહેશે
23 ડિસેમ્બરે સરકારે બ્રિટનથી આવનારી ફ્લાઈટને રોકી દેવામાં આવી હતી. જો કે આ પ્રતિબંધ હવે હટી ચૂક્યો છે અને 246 પ્રવાસી ભારત માટે ઉડાન ભરી ચૂક્યા છે. સરકારે આ જાણકારી આપી છે કે હવે ભારત અને બ્રિટનની વચ્ચે દર અઠવાડિયાની 30 ફ્લાઈટ રહેશે. જેમાંથી 15 ભારતીય હશે અને આટલી જ સંખ્યામાં યુકેની સેવા રહેશે. ત્યારે ફ્લાઈટની સંખ્યાને લઈને સરકારે પહેલા સમીક્ષાની વાત કરી છે.
પ્રવાસીઓને 14 દિવસ ક્વોરેન્ટાઈનના સમય પુરો કરવાનો રહેશે.
ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાત હવાઈ સેવા શરુ કરવાની વિરુદ્ધ હતા. તેમણે ગુરુવારે સરકારને પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી વધારવાની માંગ કરી હતી. તેમણે આ માટે બ્રિટનમાં જારી ગંભીર પરિસ્થિતિઓનો હવાલો આપ્યો હતો. કેજરીવાલે કહ્યું કે આવી સ્થિતીમાં ફ્લાઈટ બેનને હટાવી પોતાના લોકોને જોખમમાં કેમ મુકવા. જો કે 8થી 30 જાન્યુઆરી સુધી તમામ હવાઈ પ્રવાસીઓને કોવિડ 19ની તપાસ અનિવાર્ય છે. ખાસ કરીને નેગેટિવ આવનારાની સ્થિતિમાં પ્રવાસીઓને 14 દિવસ ક્વોરેન્ટાઈનના સમય પુરો કરવાનો રહેશે.
બ્રિટનથી ભારત આવનારી ફ્લાઈટ્સની સંખ્યા 50 ટકા સુધી ઓછી કરાયી
ત્યારે સરકારે 2 અઠવાડિયા બાદ બ્રિટન આવનારી ફ્લાઈટો ફરી શરુ કરી દેવામાં આવી છે. બુધવારે 252 પ્રવાસીઓની સાથે પહેલી ફ્લાઈટ બ્રિટન માટે રવાના થઈ છે. આ ફ્લાઈટે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી છે. ત્યારે બુધવારે સાંજે મુંબઈથી પણ એક ફ્લાઈટ લંડન રવાના થઈ છે. બુધવારે ભારતથી રવાના થયેલી બે ફ્લાઈટોમાં ગુરુવારે લંડનથી હીથ્રો એરપોર્ટ પર લેન્ડ કરશે. બન્ને વિમાનોમાં કુલ પ્રવાસીઓની સંખ્યા 491 છે. આશા છે કે એર ઈન્ડિયાની બન્ને ફ્લાઈટ્સ શુક્રવારે દિલ્હી અને મુંબઈ સ્થિત પોતાની જગ્યાએ પાછી ફરશે. ગુરુવારે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી એ કહ્યું કે બ્રિટનથી ભારત આવનારી ફ્લાઈટ્સની સંખ્યા 50 ટકા સુધી ઓછી કરવામાં આવી છે.