દેશના મોટાભાગના રાજ્યો અને શહેરોમાં ધીમે-ધીમે કોરોનાના કેસ ઘટી રહ્યા છે પરંતુ કેરળ એકમાત્ર રાજ્ય છે જ્યાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
કેરળમાં આકરો બન્યો કોરોના
ગત 24 કલાક દરમિયાન નોંધાયા 24,296 નવા કેસ
રાજ્યમાં હાલ 1,59,335 એક્ટિવ કેસ
કેરળમાં ગત 24 કલાક દરમિયાન 24,296 નવા કેસ નોંધાયા હતા, આ સાથે જ 173 લોકોના મોત પણ થયાં હતા. તો સોમવારે જે પોઝિટિવીટી રેટ 15.63 ટકા હતો તે આજે વધીને 18.04 ટકા થયો છે. આમ સોમવારે 13,383, રવિવારે 10,402 તે કેસ મંગળવારે 25,467 થયાં છે.
રાજ્યમાં હાલ 1,59,335 એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે, કેરળમાં નવા કેસ નોંધાયા બાદ કુલ કેસનો આંકડો 38,51,984 પર પહોંચ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 36.72 લાખ લોકો કોરોના મુક્ત થઈ ચૂક્યા છે. રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન 19,349 દર્દીઓ સ્વસ્થ થયાં છે. જ્યારે રાજ્યમાં હાલ 1,59,335 એક્ટિવ કેસ છે.
પાંચ જિલ્લાઓમાં 2 હજારથી વધુ નવા કેસ
રાજ્યના પાંચ જિલ્લાઓમાં 2 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. એર્નાકુલમમાં 3,149 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ત્રિશૂર 3,046, કોઝીકોડ 2,875, મલપ્પુરમ 2,778, પલક્કડ 2,212, કોલ્લમ 1,762, કોટ્ટયમ 1,474, તિરુવનંતપુરમ 1,435, કન્નૂર 1,418, અલાપ્પુઝા 1,107 કોરોનાના કેસ નોંધાયા છે.
અત્યાર સુધીમાં 2.62 કરોડ લોકોનું થયું રસીકરણ
નવા કેસોમાંથી 90 હેલ્થકેર કામદારો અને 118 રાજ્યની બહારના છે. અન્ય લોકોના સંપર્કને કારણે 22,775 કેસ નોંધાયા હતા, જ્યારે 1,313 દર્દીઓના ચેપનો સ્ત્રોત હજુ સુધી શોધી શકાયો નથી. રાજ્ય સરકારની અખબારી યાદી મુજબ હાલમાં 4.67 લાખ લોકોને જુદા જુદા જિલ્લાઓમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.62 કરોડ રસી ડોઝ આપવામાં આવી છે, જેમાં 1.93 કરોડ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 69.48 લાખ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ લીધી હતી કેરળની મુલાકાત
કેરળમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વ વાળી એક કેન્દ્રીય ટીમે રાજ્યની મુલાકાત લીધી હતા. જેમાં રાજ્યમાં કોવિડની સ્થિતિ અને કોરોનાને કંટ્રોલ કરવા અંગેની તૈયારીઓ મુદ્દે સમીક્ષા કરવામાં આવી હતી.