2020ના વર્ષમાં ગુજરાત સરકારમાં સિનિયર અધિકારીઓની નિવૃત્તિની હારમાળા રચાશે. કુલ 19 IAS અને 5 IPS અધિકારીઓ સહિત 24 અધિકારીઓ ફરજ ઉપરથી નિવૃત થશે જેમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ અને રાજ્ય પોલીસ વડા DGP શિવાનંદ ઝાનો પણ સમાવેશ થાય છે.
5 સિનિયર IPS ઓફિસર પણ નિવૃત થઈ રહ્યા છે. જેમાં એપ્રિલ મહિનામાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા પણ રિટાયર્ડ થઈ રહ્યા છે. તેમની સાથે 2020માં મે મહિનામાં એ. કે. સુરોલીયા, જૂન મહિનામાં ડી. બી. વાઘેલા અને ડી. એન. પટેલ ઓક્ટોબરમાં કમલકુમાર ઓઝાનો સમાવેશ થાય છે.