ગોવાના બિટ્સ પિલાની કેમ્પ્સમાં કોરોનાનાો વિસ્ફોટ થતાં 24 કેસો સામે આવ્યા છે. ત્યાર બાદ ગોવા પ્રશાસને કેમ્પ્સમાં તમામ વિદ્યાર્થીઓ અને ટીચર્સને કોરોનાની તપાસ કરવાના આદેશ આપી દીધા છે. ઓફલાઈન ક્લાસ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. અને સંક્રમિતોને કોરન્ટાઈન કરીને તેમના સંપર્કમાં આવેલા લોકોને સતર્ક રહેવા કહેવામાં આવ્યુ છે, ગોવામાં કોરોના વિસ્ફોટ એવા સમયે આવ્યો છે, જ્યારે દેશમાં કોવિડના દર્દીઓની સંખ્યા ધીમી પડી છે. અને ઓછા કેસોને જોતા 1 એપ્રિલથી કોરોના પ્રતિબંધો પણ ખતમ થઈ રહ્યા છે.
ગોવામાં બિટ્સ પિલાની કેમ્પસ વાસ્કો ટાઉનના જુઆરીનગરમાં છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને કોરોના સંક્રમિત થયા બાદ વાસ્કોના ડેપ્યુટી કલેક્ટર દત્તારાજ દેસાઈએ આદેશ જાહેર કરીને કેમ્પ્સમાં કોરોના તપાસ વિના કોઈની પણ એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. તમામ માટે માસ્ક પહેરવુ અને બે મીટરનું અંતર બનાવી રાખવાનો નિર્ણય અનિવાર્ય કરી દીધો છે. આ ઉપરાંત આગામી 15 દિવસ માટે તમામ ક્લાસોને ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે.
જે પણ સંક્રમિત થયા તેમને કોરન્ટાઈન કરવામાં આવ્યા
ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું કે, કોરોના સંક્રમિત આવ્યા બાદ લોકોને કોરન્ટાઈન કરી દેવામા આવ્યા છે. આ લોકો માટે ખાવા પીવાની અલગ વ્યવસ્થા કરવામા આવી છે. તેમણે કહ્યું કે, આ લોકોના સંપર્કમાં જે પણ આવ્યા છે, તે કોરોના પ્રોટોકોલનું પાલન કરે અને પોતાનું ધ્યાન રાખે. આ તમામ લોકોએ આરટીપીસીઆર તપાસ કરાવામાં આવશે.
ભારત-કોરોનાના અપડેટેડ કેસો
દેશમાં કોરોનાના કેસોની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 1335 નવા દર્દીઓ સામે આવ્યા છે અને 24 લોકોના મોત પણ થઈ ગયા છે. શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર દેશમાં એક્ટિવ કેસ ઘટીને 14,704 રહી ગયા છે, જે કુલ સંક્રમિતોના ફક્ત 0.03 ટકા છે. રિકવરી રેટ 98.75 ટકા અને ડેઈલી પોઝિટિવિટી રેટ 0.22 ટકા છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણ શરૂ થયા બાદ દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,30,25,775 દર્દી મળી ચુક્યા છે અને 5,21,129ના મોત થઈ ચુક્યા છે.