ઑક્સીજન પહોંચવામાં થયો વિલંબ, કર્ણાટકની હોસ્પિટલમાં 24 કોરોના દર્દીઓના મોત
કર્ણાટકમાં ઑક્સીજનની કમીથી કરુણાંતિકા
ચામરાજનગરમાં 24 દર્દીઓ ઑક્સીજન વગર તડપી તડપીને મોતને ભેટી ગયા
સીએમએ આવતીકાલે બોલાવી આપાટકાલ બેઠક
આ હાદસો છે કે હત્યા?
દેશભરમાં ઑક્સીજનના કારણે સતત મોત વધી રહી છે કારણ કે સમયસર દર્દીઓને ઑક્સીજન મળી રહી નથી. દિલ્હીમાં સૌથી વધારે ઑક્સીજનની કમી છે ત્યાં આજે કર્ણાટકથી ઑક્સીજનની અછતના કારણે ટપોટપ દર્દીઓના મોત થયા હોવાના દુખદ સમાચાર સામે આવ્યા છે.
Karnataka | 24 patients, including COVID-19 patients, died at Chamarajanagar District Hospital due to oxygen shortage & others reasons in last 24 hours. We are waiting for the death audit report: District Incharge Minister Suresh Kumar
કર્ણાટકના ચામરાજનગરમાં ઑક્સીજનની કમીથી 24 દર્દીઓના મોત થયા છે, અહિયાં એક હોસ્પિટલમાં દાખલ 24 દર્દીઓ મોતને ભેટી ગયા છે અને તેના માટે માત્રને માત્ર બેદરકાર તંત્ર જ જવાબદાર છે. ગઇકાલે મધ્ય રાત્રિ બાદથી 24 જ કલાકમાં 24 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જોકે તંત્ર હવે પૂર આવી ગયા પાછી પાયલ બાંધી રહ્યું છે જેમાં અઢી સો ઑક્સીજન સિલેન્ડર હવે આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે ચામરાજનગરની જે હોસ્પિટલમાં આ ઘટના થઈ છે તેને બેલ્લાઋની એક હોસ્પિટલમાંથી ઑક્સીજન મળવાનો હતો પરંતુ ઑક્સીજન આવવામાં મોડું થઈ ગયું જેના કારણે મોતનું તાંડવ જોવા મળ્યું છે. મીડિયા અહેવાલ અનુસાર મોટા ભાગના દર્દીઓ વેન્ટિલેટર પર હતા અને ઑક્સીજન ન મળતા આ દર્દીઓ તડપવા લાગ્યા અને ભયંકર પરિસ્થિતિમાં તેમનું મોત થઈ ગયું, હોસ્પિટલની બહાર દર્દીઓના પરિજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું છે.
હર્ષવર્ધનને આ ઘટનાઑ નથી દેખાતી?
નોંધનીય છે ભારતના સ્વાસ્થ્ય મંત્રી મોટા મોટા દાવા કરે છે કે દેશમાં તો ઑક્સીજનની કોઈ કમી જ નથી. આખા દેશમાં જાણે ઑક્સીજનનો જ વરસાદ થઈ રહ્યો છે, પરંતુ તેમને દેખાતું નથી કે કેટલાય રાજ્યોથી દરરોજ આ પ્રકારની ખબરો સામે આવી રહી છે. કર્ણાટકમાં રવિવારે 37 હજાર કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે જ્યારે 217 દર્દીઓના મોત થયા છે. કોરોના વાયરસના દર્દીઓ ઑક્સીજન માટે તડપી રહ્યા છે.