રાજકોટમાં તિરંગાયાત્રાના કાર્યક્રમને લઇને પહોંચેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 24 પાકિસ્તાની હિન્દુ નાગરિકોને ભારતીય નાગરિકતા આપી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે
24 પાકિસ્તાની હિન્દુ નાગરિકોને ભારતીય નાગરિકતા અપાઇ
રાજોકટમાં પાકિસ્તાની હિન્દુ નાગરિકોને ભારતીય નાગરિકતા
ગુજરાતમાં હાલમાં તિરંગા યાત્રા યોજાઇ રહી છે. વિવિધ શહેરોમાં રંગેચંગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે રાજકોટમાં તિરંગાયાત્રા યોજાઇ. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ગૃહરાજ્ય મંત્રી રાજકોટ ખાસે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા 24 પાકિસ્તાની હિંદુ નાગરિકોને ભારતીય નાગરિકતા અપાઇ.
'નવા ભારતના સંકલ્પનું સપનું સાકાર કરવા સહભાગી બને'
રાજકોટમાં 24પાકિસ્તાની હિંદુ નાગરિકોને હર્ષ સંઘવીને હસ્તે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર અપાયા. તેમજ ક્રાઇમ બ્રાંચ અને SOGના જવાનોનું સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત આ પ્રસંગે રાજકોટ ક્રાઇમ બ્રાંચના લોગોનું પણ અનારવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે આજે એક દિકરીને ઊંચી ઉડાન ભરવા માટે નાગરિકતા મળી ચૂકી છે. આજે આપણે અનેક દ્રશ્યો જોયા, એક વડીલ માની આંખમાં આંસુ તો એક યુવાનની આંખોમાં નવા ભારતના સંકલ્પના સપના. તેઓએ 24 પાકિસ્તાની હિંદુઓને નવા ભારતના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બને તેવી શુભકામના પાઠવી.
24 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકત્વ અપાયું
મહત્વનું છે કે રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે. નોંધનીય છે કે રાજકોટ જિલ્લામાં છેલ્લા છ માસ દરમિયાન 40 પાકિસ્તાની નાગરિકોને આ રીતે ભારતીય નાગરિકત્વ અપાયા છે, જે તમામ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.