ગુજરાતના નવનિયુક્ત 24 મંત્રીઓ આવતીકાલથી જન આશીર્વાદ યાત્રાએ જશે જે યાત્રા 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર અને 7 થી 10 ઓક્ટોબર સુધી ચાલશે
નવનિયુક્ત 24 મંત્રીઓ આવતીકાલે જન આશિર્વાદ યાત્રાએ
2022ની તૈયારીઓ ભાજપે પૂરજોશમાં શરૂ કરી
30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર અને 7 થી 10 ઓક્ટોબર મંત્રીઓ યાત્રા પર
ગુજરાતના નવનિયુક્ત 24 મંત્રીઓ આવતીકાલથી કરશે પ્રવાસ જશે. જેમા મંત્રીઓને પોતાના તેમજ અન્ય જિ્લલામાં પ્રવાસ માટે મોકલીને જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે આ જન આશીર્વાદ યાત્રા 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર અને 7 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી યોજાશે.
જાણો કયા મંત્રીઓ ક્યાં પ્રવાસે જશે
મહેસુલમંત્રી રાજેન્દ્ ત્રિવેદી 30 સપ્ટેબરે ખેડા, 1 ઓક્ટોબરે વડોદરા જીલ્લો અને 2 ઓક્ટોબરે વડોદરા શહેર(રાવપુરા અને સયાજીગંજ વિધાનસભા) કરશે પ્રવાસ....
શિક્ષણમંત્રી જીતેન્દ્ર વાઘાણી 3 ઓક્ટોબરે ભાવનગર પશ્ચિમ, 07 ઓક્ટોબરે રાજકોટ જીલ્લો અને 8 ઓક્ટોબરે રાજકોટ શહેર કરશે પ્રવાસ....
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ 3 ઓક્ટોબર વિસનગર,7 ઓક્ટોબરે ગાંધીનગર જીલ્લો અને 8 ઓક્ટોબરે અમદાવાદ જીલ્લો કરશે પ્રવાસ.....
માર્ગ અને મકાન મંત્રી પુર્ણશ મોદી 3 ઓક્ટોબરે સુરત પશ્ચિમ,7 ઓક્ટોબરે ભરુચ અને 8 ઓક્ટોબરે નર્મદા જિલ્લાનો કરશે પ્રવાસ...