લગભગ 24 કરોડ લોકોને ખુશખબર મળવાની છે. લોકોને આશા છે કે સરકાર આ વખતે વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. જાણો આ વિષે વિગતવાર
24 કરોડ લોકોને ખુશખબર મળવાની છે.
વ્યાજ દરોમાં વધારો કરી શકે છે સરકાર
આવતા મહીને થશે નિર્ણય
લગભગ 24 કરોડ લોકોને ખુશખબર મળવાની છે. લોકોને આશા છે કે સરકાર આ વખતે વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. અસલમાં, વિત્ત વર્ષ 2021-22 માટે કર્મચારી ભવિષ્ય નિધિ જમા પર વ્યાજ દરો આવતા મહીને નક્કી થશે. બધા EPFO ખાતાધારકોની નજરો આ બેઠક પર છે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના નિર્ણય લેવાવાળા નિકાય કેન્દ્રીય ન્યાસી બોર્ડ (CBT) ની બેઠક આવતા મહીને થવા જઈ રહી છે, જેમાં ચાલુ વિત્ત વર્ષના વ્યાજ દરો પર નિર્ણય થશે. પીટીઆઈ અનુસાર, કેદ્રિય શ્રમ મંત્રી ભુપ્રન્દ્ર યાદવે કહ્યું, EPFO ના કેન્દ્રીય ન્યાસી બોર્ડની બેઠક માર્ચમાં ગુવાહાટીમાં થશે, જેમાં 2021-22 માટે વ્યાજ દરો નક્કી કરવાનો પ્રસ્તાવ સૂચીબદ્ધ છે.
આ સવાલ પર કે શું આઈપીએફઓ 2021-22 માટે પણ 2020-21 ની જેમ 8.5 ટકાના વ્યાજ દરને કાયમ રાખશે? તેમણે કહ્યું કે આ નિર્ણય આવતા વિત્ત વર્ષ માટે કમાણીના અનુમાનના આધાર પર થશે, ભુપેન્દ્ર યાદવ સીબીટીના પપ્રમુખ છે.
માર્ચ 2021માં સીબીટીએ 2020-21 માટે EPF જમા માટે 8.5 ટકાનું વ્યાજ દર નિર્ધારિત કર્યું હતું. વિત્ત મંત્રીએ ઓક્ટોબર 2021માં આ અનુમોદિત કર્યું હતું. ત્યાર બાદ ઈપીએફઓએ પોતાના ફિલ્ડ કાર્યાલયોના અંશ્ધારકોના ખાતામાં 2020-21 માટે 8.5 ટકાનું વ્યાજનો નિર્દેશ કર્યો હતો.
જણાવી દઈએ, સીબીટી તરફથી વ્યાજ દર પર નિર્ણય લીધા બાદ તેને વિત્ત મંત્રાલયની અનુમતિ માટે મોકલાય છે. માર્ચ 2020 માં આઈપીએફઓએ ભવિષ્ય નિધિ જમા પર વ્યાજ દર ઘટાડીને 2019-20 માટે 8.5 ટકાના સાત વર્ષના નીચલા સ્તર પર લાવ્યો હતો. 2018-19 માં આઈપીએફઓ પર 8.5 ટકાનું વ્યાજ કરાયું હતું.
આઈપીએફઓએ 2016-17 તથા 201-18 માં પણ 8.65 ટકાનું વ્યાજ આપ્યું હતું. 2015-16 માં વ્યાજ દર 8.8 ટકા હતો. જ્યારે 2013-14 માં 8.75 ટકા તથા 2014-15 માંપણ 8.75 ટકા વ્યાજ જ હતું. જોકે 2012-13 માં વ્યાજ ડર 8.5 ટકા હતો. 2011-12 માં આ 8.25 ટકા હતો.