ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ AMCમાં વિરોધ પક્ષના પદને લઈને કહ્યું કે,પાર્ટીના તમામ 24 કોર્પોરેટર અકબંધ. જે નામ નક્કી કરશે તેને MLA સમર્થન આપશે.અને આ મુદ્દે તમામ 4 ધારાસભ્યો એકમત
ચારેય દાવેદારને એક-એક વર્ષ વિપક્ષનું પદ -ખેડાવાલા
શહેઝાદ ખાન પર મુકવામાં આવેલા આરોપ વાહીયાત
કોર્પોરેટર રાજશ્રી કેસરીની પાછળ બીજું કોઈ ભેજુ-ઇમરાન
રવિવારે અમદાવાદ મહાનગર પાલિકામાં 10 જેટલા કોર્પોરેટર નારાજ હોવાની વાત પછી, વાત છેક હાઈકમાન્ડ અને પ્રિયંકા ગાંધીનો સમય માંગવા સુધી ગઈ છે.ત્યારે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ AMCમાં વિરોધ પક્ષના પદને લઈને કહ્યું કે,પાર્ટીના તમામ 24 કોર્પોરેટર અકબંધ છે. કોંગ્રેસ પાર્ટીની વાતો મીડિયા સુધી પહોંચાડવી ઘટના દુખદ છે. ખેડાવાલાએ કહ્યું કે, પ્રમુખ જે નામ નક્કી કરશે તેને MLA સમર્થન આપશે.અને આ જ મુદ્દે તમામ 4 ધારાસભ્યો એક મત છે. ચારેય દાવેદારને એક એક વર્ષ માટે વિરોધ પક્ષનુ પદ અપાશે. આ તો નિર્ણય કરવામાં મોડું થતાં કોર્પોરેટર નારાજ થયા છે. ધારાસભ્યે એમ પણ ઉમેર્યું કે, શહેઝાદ ખાન પર મુકવામાં આવેલ આરોપ તદ્દન ખોટા છે અને કોર્પોરેટર રાજશ્રી કેસરીની પાછળ બીજું કોઈ ભેજુ કરી કામ રહ્યું છે.
રવિવારનો ઘટનાક્રમ
ગુજરાત વિધાનસભા ચુંટણી આડે માત્ર 10 મહિના બાકી છે ત્યારે, કોંગ્રેસમાં 'એક સાંધતા તેર તૂટે છે' માંડ માંડ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાનો લાંબા સમયથી ગૂંચવાયેલો મુદ્દો સુલ્જ્યો, ત્યાંજ અમદાવાદ મહાનગર પાલિકામાં કોંગ્રેસના 10 નગર સેવકોએ રાજીનામાં આપતા 'ઉકળતા ચરુ' જેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસ નેતા સી જે ચાવડાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બે નિરીક્ષકો નિમાયા છે જેમાં એક હું અને બીજા નરેશ રાવલ છે'. જે કઈ હશે તેનો આગામી સમયમાં નિર્ણય લેવાશે. જો કે, તેમ કહ્યું કે, રાજીનામાં જેવી કોઈ વાત નથી. એક ફોર્મ્યુલા પ્રમાણે 4 વર્ષ માટે 4 લોકોને એક- એક વર્ષ માટે વિપક્ષના નેતા બનાવવાનો રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
નામ સામે જ પ્રચંડ વિરોધ
અમદાવાદ મહા નગરપાલિકામાં મહાપાલિકાની ચૂંટણી બાદ હજુ સુધી વિરોધ પક્ષના નેતાની વરાયા નથી.ત્યારે શહેજાદખાન પઠાણનું વિપક્ષના નેતા બનવાનું નક્કી થવાની વાત સામે આવતા, શહેઝાદ વિરોધી બીજું જૂથ મેદાનમાં ઉતર્યું છે, અને શહેઝાદને પદ આપાવા અંગે વિરોધ નોંધાવી રહ્યું છે. મહાનગર પાલિકામાં 14 કોર્પોરેટરે માંથી 10 જેટલા કોર્પોરેટરે કોન્ગ્રેસના પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી હતી, જેમાંથી 10 એ રાજીનામા આપી દીધા છે. .