રાજ્યમાં થોડા સમયથી શાંત થયેલા કોરોના કેસમાં ફરી વધારો નોંધાઇ રહ્યો છે. આથી સાવચેતી રાખવી આવશ્યક બની છે. આજે 24 કલાકમાં કોરોનાના 24 નવા દર્દીઓ ઉમેરાયા છે.
ગુજરાતમાં આજે કોરોનાના 24 કેસ, એકનું મોત
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.12 ટકા
રાજ્યમાં આજે 8 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં મિશ્ર ઋતુની સ્થિતિમાં રોગચાળાના હાઉ વચ્ચે કોરોના ફરી માથું ઉચકતો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. જેને લઈને લોકોએ હોળી ધુળેટીના તહેવારોનો મણેલી મજા મોંઘી પડતી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત અને મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના માત્ર 24 પોઝીટિવ કેસ નોંધાયા છે. તેમજ કોરાનાથી મોતનો એક કેસ છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 10, 2023
અમદાવાદમાં 11 કેસ
આજે અમદાવાદમાં 11 લોકો અને સુરતમાં 1 વ્યક્તિ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ સુરતમાં 4 તેમજ રાજકોટમાં 3 તેમજ મહેસાણામાં 3 વ્યક્તિને કોરોના થયો છે. સાબરકાંઠા, વડોદરા અને અમરેલીમાં 1-1 કેસ સત્તાવાર રીતે જાહેર થયું છે. બીજી બાજુ રાજ્યના અન્ય જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ રાજ્યમાં કોરોનાના કુલ 151 એક્ટિવ કેસો છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 966 લોકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે
8 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના 24 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.12 ટકા નોંધાયો છે. તેમજ આજે 8 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 151 કોરોનાના એક્ટિવ કેસ છે. તેમજ સુરત શહેરમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. 24 કલાકમાં 8 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે 966 લોકોને રસી અપાઈ છે.
કોરોનાથી સજા થવાનો દર 99.12 ટકા
વિશ્વમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં કોરોનાથી સજા થવાનો દર 99.13 ટકા છે. અત્યાર સુધીમાં 12,66,674 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જોકે ચીન સહિતના દેશોમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ફરીવાર ગુજરાતમાં ડબલ ડિઝીટમાં કોરોનાના પોઝીટીવ કેસ નોંધાવા લાગ્યા છે. પરંતું હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.