ઈરાનમાં ફસાયેલા 234 ભારતીઓને રવિવારે ભારત પરત લવાયા છે. આ સમાચાર વિદેશ મંત્રી જયશંકરે ટ્વીટ કરીને આપ્યાં છે. પશ્ચિમી એશિયામાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ઈરાનમાં નોંધાયા છે. અહીં લગભગ 13 હજાર લોકો વાયરસની અસર હેઠળ છે.
ઈરાનમાં ફસાયેલા 234 ભારતીયોને પાછા લવાયાની જાણકારી વિદેશ મંત્રીએ આપી છે
આ લોકોમાં 103 શ્રદ્ધાળુઓ અને 131 વિદ્યાર્થીઓ છે
પશ્ચિમી એશિયામાં ઈરાન કોરોના વાયરસથી સૌથી વધારે અસરગ્રસ્ત છે
આ લોકોમાં 131 સ્ટૂડન્ટ અને 103 તીર્થ યાત્રીઓ હતા
કોરોના વાયરસના કારણે ઈરાન સૌથી વધારે હેરાન થઈ રહ્યું છે. ઈરાનમાં 234 ભારતીયો ફસાયા હતા. ઈરાનમાં કોરોનાની અસરથી બચાવવા માટે તેમને રવિવારે ભારત લવાયા છે. વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે આ લોકોમાં 131 સ્ટૂડન્ટ અને 103 તીર્થ યાત્રીઓ હતા.
234 Indians stranded in #Iran have arrived in India; including 131 students and 103 pilgrims.
Thank you Ambassador @dhamugaddam and @India_in_Iran team for your efforts. Thank Iranian authorities.
જયશંકરે આ ઓપરેશનમાં સાથ આપવા બદલ ઈરાન સરકાર અને ભારતીય દુતાવાસનો આભાર માન્યો હતો. ઈરાનથી વિમાન દિલ્હી પહોંચ્યું હતું અને અહીંથી જૈસલમેર જવા રવાના થયું હતુ. આર્મી આઈસોલેશન વોર્ડમાં તમામનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને તે બાદ તેને જૈસલમેરના કૈરંટાઈનમાં રાખવામાં આવશે. શુક્રવારે 44 પ્રવાસીઓનું એક ગ્રુપ ભારત લવાયું હતું.
દુનિયામાં 15 હજારથી વધારે લોકો કોરોનાગ્રસ્ત છે
ઈરાનના 58 પ્રવાસી પહેલુ ગ્રુપ મંગળવારે ભારત આવ્યું હતુ. ઈરાનમાં શનિવારે આ વાયરસના કારણે 100 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ આ આંકડો 700થી આસપાસ પહોંચી ગયો છે. દેશમાં લગભગ 13 હજાર લોકો કોરોનાગ્રસ્ત છે. દુનિયામાં 15 હજારથી વધારે લોકો કોરોનાગ્રસ્ત છે.