પાકિસ્તાનમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા પેશાવરમાં ખોદકામ દરમિયાન પુરાતત્વવિદોને 2300 વર્ષ જૂનું ભગવાન બુદ્ધ મંદિર સહિત ઘણી અમૂલ્ય ચીજો મળી છે.
પાકિસ્તાનમાં ખોદકામ દરમિયાન 2300 વર્ષ જુનું ભગવાન બુદ્ધનું મંદિર મળ્યું
મંદિરની સાથે એક દુર્લભ ખજાનો પણ મળી આવ્યો
ખોદકામમાં સિક્કા, અંગૂઠીઓ અને વાસણો સહિત 2700 અમુલ્ય ચીજો નીકળી
પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ભગવાન બુદ્ધનું 2,300 વર્ષ જૂનું પ્રાચીન મંદિર મળી આવ્યું છે. મંદિર મળવાની સાથે સૌથી ચોંકાવનારી વાત એ છે કે મંદિરની સાથે એક દુર્લભ ખજાનો પણ મળી આવ્યો છે. આ સિવાય પુરાતત્વવિદોની ટીમને ઘણી દુર્લભ અને અમૂલ્ય કલાકૃતિઓ શોધવામાં પણ સફળતા મળી છે.
2300 વર્ષ જૂની બૌદ્ધ પ્રતિમા મળી
2300 વર્ષ જૂની બૌદ્ધ પ્રતિમા મળી પાકિસ્તાનના પેશાવરમાં ખોદકામ દરમિયાન પુરાતત્વવિદોને 2300 વર્ષ જૂનું ભગવાન બુદ્ધનું સૌથી પ્રાચીન મંદિર શોધવામાં સફળતા મળી છે. ઈટાલિયન પુરાતત્વવિદોની એક ટીમે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં 2,300 વર્ષ જૂના બૌદ્ધ સમયના એપ્સિડલ મંદિર અને કેટલીક અન્ય અમૂલ્ય કલાકૃતિઓની શોધ કરી છે. આ ખોદકામ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્વાત જિલ્લાના બરીકોટ તહસીલના બાજીરામાં કરવામાં આવી રહ્યું છે અને અહીં ખોદકામ દરમિયાન પાકિસ્તાનમાં શોધાયેલ સૌથી જૂનું ભગવાન બુદ્ધ મંદિર મળી આવ્યું છે. પુરાતત્વવિદોએ આ શોધને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે.
ખોદકામમાં શું શું મળ્યું
ખોદકામમાં પુરાતત્વ વિભાગની ટીમને સિક્કા, અંગૂઠીઓ અને વાસણો, અમૂલ્ય કલાકૃતિઓ સહિત 2700 અમુલ્ય ચીજો મળી હતી. આ અમૂલ્ય વસ્તુઓ જોઈને પુરાતત્વીય અધિકારીઓ આભા બની ગયા હતા. પુરાતત્વીય મિશનના વડા ડૉ. લુકા મારિયા ઓલિવરીએ જણાવ્યું કે, બૌદ્ધ કાળના ખૂબ જ પ્રાચીન મંદિરની શોધથી સાબિત થયું છે કે સ્વાત તક્ષશિલા કરતાં પણ સૌથી જૂના પુરાતત્વીય અવશેષોનું ઘર છે. ઇટાલિયન નિષ્ણાતોએ સ્વાત જિલ્લાના ઐતિહાસિક બઝિરા શહેરમાં ખોદકામ દરમિયાન વધુ પુરાતત્વીય સ્થળોની પુનઃપ્રાપ્તિ અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પાકિસ્તાન મ્યુઝિયમ અને પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર ડો.અબ્દુસ સમદે જણાવ્યું કે, બારીકોટ સ્વાતનું બાઝીરા શહેર તક્ષશિલાના અવશેષો કરતાં જૂનું છે.