ભારતે પાકિસ્તાનને આંતકવાદના મુદ્દા પર કડક ચેતવણી આપી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું છે પાકિસ્તાન પાસે માત્ર આંતકવાદ જ હથિયાર છે અને તેને અમે સફળ નહીં થવા દઇએ. ડોભાલે સીમા પાર આંતકવાદીઓના સક્રિય હોવાની પુષ્ટી કરતા કહ્યું કે ભારત સરકાર અને સુરક્ષા દળ પૂર્ણ રીતે અલર્ટ છે.
એમણે એમ પણ કહ્યું કે, કાશ્મીરમાં લોકો સરકારના નિર્ણયની સાથે છે અને આવનારા સમયમાં આ પ્રદેશ નવા અવસર લઇને આવશે. પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે તેમના બદ ઇરાદા સફળ નહીં થાય કેમકે કાશ્મીરમાં પૂર્ણ રીતે શાંતિ છે અને સ્થિતિ સામાન્ય છે.
'પાક આતંક દ્વારા કાશ્મીરમાં સ્થિતિ બગાડવાની કોશિશમાં'
સીમા પારથી આંતકી ગતિવિધિઓના નિર્દેશ મળવાની પુષ્ટી કરતા ડોભાલે કહ્યું, 'સીમાથી 20 કિમી.ના અંતરે પાકિસ્તાનના કોમ્યુનિકેશન ટાવર છે. અમે તેમની વાતચીત સાંભળી છે જેમા કહેવામાં આવી રહ્યું છે કે તમે લોકો શુ કરી રહ્યા છો? ત્યાં (કાશ્મીરમાં) આટલા બધા સફરજનના ટ્રક કેમ ચાલી રહ્યા છે? આપ લોકો તેને બંધ નથી કરી શકતા.
230 પાક. આંતકીઓ હોવાની આશંકા
એનએસએ ડોભાલે આતંકનો સાથ આપવા માટે પાકિસ્તાનને આડા હાથે લીધુ. એમણે કહ્યું કે, 'પાકિ્તાનમાં સીમા પારથી 230 આતંકીઓની ઓળખ થઇ છે. તેમાંથી કેટલાકની ધરપકડ કરાઇ છે અને કેટલાકને ચિન્હિત કરાયા છે. અમે કોઇપણ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે પૂર્ણ રીતે સાવચેત છીએ.' એમણે સોપોરમાં ઘાયલ થયેલ અઢી વર્ષની બાળકીને ઇલાજ માટે એમ્સ લાવવાનો નિર્દેશ આપ્યો છે.
પાક. પાસે માત્ર આતંકવાદ જ હથિયાર
ડોભાલે કહ્યું કે કાશ્મીરીઓની રક્ષા કરવા માટે અમે સંકલ્પ લીધો છે. એના માટે કેટલાક પ્રતિબંધો લગાવવાની જરૂર પડે તો અમે એ લગાવવા માટે પણ તૈયાર છીએ. પાક સમર્થિત આંતકવાદ પર એમણે કહ્યું કે, પાકિસ્તાન પાસે હવે માત્ર હથિયાર તરીકે આંતકીઓની મદદ કરવી અને આતંક ફેલાવવો છે.
પાકિસ્તાનના જુઠ્ઠાણાની NSA પોલ ખોલી
અજીત ડોભાલે જણાવ્યું કે શનિવારે એક મોટા ફળ વિક્રેતાને પાકિસ્તાની આતંકવાદીઓએ મારવાની કોશિશ કરી. એક દુકાનદારને દુકાન ખોલવાને કારણે ગોળી મારી દેવાઇ. આ ઘટનાઓ દ્વારા પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય જગતમાં એ બતાવવાની કોશિશ કરી રહ્યું છે કે કાશ્મીરમાં સ્થિતિ ખરાબ છે.
NSAએ કહ્યું, કાશ્મીરની જતના અમારી સાથે
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે આર્ટિકલ 370 પર કાશ્મીરીઓના પૂર્ણ સમર્થનની વાક કહી. એમણે કહ્યું કે હું પૂર્ણ રીતે આશ્વસ્ત છુ કે મોટા ભાગના કાશ્મીરીઓ આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયમાં અમારી સાથે છે.
ડોભાલે કહ્યું- કાશ્મીરમાં સ્થિતિ ઝડપથી સામાન્ય બની રહ્યા છે
પ્રદેશમાં સ્તિથિ સામાન્ય હોવાનો દાવો કરતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું કે પ્રદેશના 199માં માત્ર 10 પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં જ પ્રતિબંધ છે. ડોભાલે કહ્યું કે, 10 સ્ટેશન ક્ષેત્રોને છોડીને ક્યાંય કોઇ પ્રતિબંધ નથી. 100 ટકા લેન્ડલાઇન ફોન કામ કરી રહ્યા છે.