દુનિયાભરના અનેક દેશોમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે રસીકરણની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. આ દરમિયાન નોર્વેએ દાવો કર્યો છે કે રસી લગાવવ્યા બાદ અહીં 23 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા નિર્મિત ફાઈઝરની રસીને ઉપયોગમાં લાવવામાં આવી રહી છે. નોર્વેએ પોતાના દાવામાં કહ્યું છે કે રસીકરણ બાદ મૃત્યુ પામનારા વુદ્ધો હતા. હાલમાં દેશમાં 33000 લોકોને રસીનો પહેલો ડોઝ મળી ચૂક્યો છે. નોર્વેમાં રસીકરણ બાદ મરનારા લોકો બહું વુદ્ધ છે. મૃતકોની ઉંમર 80થી 90ની ઉપર છે.
અત્યાર સુધી ઘટનાઓની સંખ્યા ખતરનાક નથી
ગંભીર બિમાર લોકો માટે સાઈડ ઈફેક્ટના ગંભીર પરિણામ
કોવિડ રસીની સુરક્ષા પર નજર રાખવી પડશે.
ગત વર્ષ 26 ડિસેમ્બરથી નોર્વેમાં રસીકરણની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. નોર્વેની સરકારે કહ્યું કે રસી વુદ્ધો અને પહેલા બિમાર લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. નોર્વેજિયન મેડિસિન એજન્સીના જણાવ્યાનુંસાર 23 મોતમાંથી 13ની ઓટોપ્સી કરી દેવાઈ છે. જેમાં જણાવા મળ્યું છે કે રસીની સામાન્ય આડઅસરે પણ બિમાર અને વુદ્ધ લોકો પર ગંભીર અસર કરી છે.
ગંભીર બિમાર લોકો માટે સાઈડ ઈફેક્ટના ગંભીર પરિણામ
નોર્વેજિયન ઈસ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થે કહ્યું , ગંભીર બિમાર લોકો માટે હલ્કા રસીના સાઈડ ઈફેક્સના ગંભીર પરિણામ હોઈ શકે છે. જેનાથી જિન્દગી બહું ઓછી બચી છે તેના પર રસીનો ફાયદો સામાન્ય હોઈ શકે છે.
કોવિડ રસીની સુરક્ષા પર નજર રાખવી પડશે
નોર્વેએ કહ્યું છે કે આ તરફેણનો મતબલ એ બિલકુલ નથી કે યુવા અને સ્વાસ્થ્ય લોકોના રસી લગાવવાથી બચવું જોઈએ. પરંતુ એ વાતનો શરુઆતનો સંકેત છે કે દેશોએ આના પર ગંભીર નજર રાખવી પડશે. યુરોપીય મેડિસિન એજન્સીના પ્રમુખ એમર કુકે કહ્યું છે કે કોવિડ રસીની સુરક્ષા પર નજર રાખવી પડશે.
અત્યાર સુધી ઘટનાઓની સંખ્યા ખતરનાક નથી
સમાચાર એજન્સી બ્લૂમબર્ગના જણાવ્યાનુંસાર Pfizerએ એક નિવેદનમાં કહ્યું 'Pfizer અને BioNTech નોર્વેમાં મોતની તપાસ માટે નોર્વેની એજન્સીની સાથે કામ કરી રહ્યા છીએ. એજન્સીએ જોયું કે અત્યાર સુધી ઘટનાઓની સંખ્યા ખતરનાક નથી.