જમ્મૂ-કશ્મીરના પૂંછમાં એક બસ ખીણમાં ખાબકતા 23 લોકોનાં મોત થયા છે. તો આ બસ દુર્ઘટનામાં 7 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ પોલીસ અને સ્થાનિકો તથા બચાવ દળને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો પોલીસ પણ અકસ્માતની તપાસ કરી રહી છે.
જો કે પ્રાપ્ત વિગતો મુજબ બસના ડ્રાઈવરે બસના સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બસનું રજિસ્ટ્રેશન નંબર JK02Q0445 છે.
જમ્મૂ-કાશ્મીરના પૂછમાં આજરોજ સવારે બસ દૂર્ઘટનાગ્રસ્ત થઇ છે. પૂંછથી મંડી જઇ રહેલી બસ ખીણમાં ખાબકતાં 27 મુસાફરોના મોત નિપજયાં છે જ્યારે અન્ય 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
ઇજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઇવરે બસ પરનો નિયંત્રણ ગુમાવતા બસ ખીણમાં પડી.