દેશમાં હવે દિનપ્રતિદિન કોરોના કેસ ઘટવા લાગ્યાં છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 22,270 કેસ નોંધાયા છે.
દેશમાં ત્રીજી લહેર નામશેષ થવાને આરે
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22,270 કેસ
વેક્સિનેશનને કારણે ત્રીજી લહેરનો ખતરો ઘટ્યો
દેશમાં કોરોનાની ત્રીજી લહેર નામશેષ થવાને આરે આવી છે. દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 22,270 કેસ સામે આવ્યાં છે તથા 325 લોકોના મોત થયા છે જે ફેબ્રુઆરીમાં સૌથી ઓછા છે. હાલમાં દેશમાં 4.28 કરોડ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યાં છે તો 5.11 લાખ લોકોના મોત થયા છે.
India reports 22,270 fresh COVID cases (14% lower than yesterday), 60298 recoveries, and 325 deaths in the last 24 hours
Active case: 2,53,739
Daily positivity rate: 1.8%
Total recoveries: 4,20,37,536
Death toll: 5,11,230
નિષ્ણાંતોએ જણાવ્યું કે ભારતમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન મોટો ઘટાડો આવી રહ્યો છે જે ત્રીજી લહેરના વળતા પાણીનો સંકેત છે. આગામી દિવસમાં હજુ પણ કેસ વધારે ઘટીને એક દિવસ શુન્ય થઈ જશે.
દેશમાં ત્રીજી લહેર નામશેષ થવાને આરે
દેશમાં હવે કોરોનાની ત્રીજી લહેર નામશેષ થવાને આરે આવી છે. દિન પ્રતિદિન કેસમાં ઘટાડો થવા લાગ્યો છે. આ જોતા આગામી દિવસમાં કોરોના હવે શુન્ય થઈ જશે.
વેક્સિનેશનને કારણે ત્રીજી લહેરનો ખતરો ઘટ્યો
દિલ્હી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે દેશમાં વેક્સિનેશન ડ્રાઈવને કારણે કોરોનાની ત્રીજી લહેરનો ખતરો ઓછો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક લાઈવ કાર્યક્રમ દરમિયાન ગુલેરિયાએ જણાવ્યું કે ભારતનું વેક્સિનેશન મોડલ વિશ્વ માટે રોલ મોડલ છે. તેમણે કહ્યું કે પ્રશાસનિક ક્ષમતાને કારણે વેક્સિેશનનું પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન સારી રીતે થઈ શક્યું છે. હોંગકોંગમાં કોરોના સંક્રમણને કારણે ચૂંટણી ટાળી દેવાઈ છે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને ટાંકીને ચીની અધિકારીએ જણાવ્યું કે કોરોના પર કાબુ મેળવવો પહેલી પ્રાથમિકતા છે. તેથી 8 મે સુધી ચૂંટણી ટાળવાનો નિર્ણય લેવાયો છે.
ફેબ્રુઆરીમાં કોરોનાથી સૌથી વધારે મોત
દેશમાં કોરોનાના કેસમાં ઘણો ઘટાડો આવ્યો છે પરંતુ ફેબ્રુઆરી મહિનામાં કોરોનાથી થયેલા મોતના આંકડા ચોંકાવનારા છે. શુક્રવારે કોરોના મોતની સંખ્યા 15,000 આંકડાને પાર કરી ગઈ જે જાન્યુઆરી કરતા વધારે છે. એટલું જ નહીં પરંતુ ગત વર્ષે જુલાઈ બાદ છેલ્લા સાત મહિનામાં સૌથી વધારે મોત ફેબ્રુઆરીમાં થયા છે.