આજે તારક મહેતા...શો ઘર ઘરમાં જાણીતો બન્યો છે. જેઠાલાલ, દયા, ભીડે, તારક મહેતા અને પોપટલાલ દરેક કેરેક્ટરની એક અલગ ફેન ફોલોઇંગ છે પરંતુ તમે જાણો છો આ આઇડીયા કોનો હતો
તારક મહેતા..નો આઇડીયા 22 વર્ષ જૂનો
બધી ચેનલે રિજેક્ટ કર્યો હતો આઇડીયા
અસિત મોદી સહિત કલાકારોની બદલાઇ કિસ્મત
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બનાવવાનો આઇડીયા ફેમસ ફિલ્મ અને ટીવી સ્ટાર જતિન કનકિયાનો હતો. તેણે જ પ્રોડ્યુસર અસિત મોદીને આ શો બનાવવાનો આઇડીયા આપ્યો હતો. અસિતે 2018માં ટેડ ટોકમાં આ વાત કહી હતી.
જતિન કનકિયાનો આઇડીયા
અસિત મોદીએ કહ્યું કે જ્યારે અમે સાસુ વહુની સિરીયલ છોડીને કંઇક કોમેડી બનાવવાનું વિચારી રહ્યાં હતા ત્યારે સમજી નહોતા શકતા કે શું બનાવવુ. ત્યારે અસિત જતિન સાથે હમ સબ એક હે શોમાં કામ કરી રહ્યાં હતા. અસિતે જતિનને આ વાત કરી ત્યારે તેમણે તારક મહેતાને ઉંઘા ચશ્મા કોલમનું નામ લીધુ અને કહ્યું કે તેના પર તે શો બનાવી શકે છે.
દુનિયાને ઉંઘા ચશ્મા પર શો
અસિત મોદીએ કહ્યું કે, આમ તો હું સિરીયસ પણ છુ પરંતુ હસ્યા વગર રહી શકતો નથી. મને મારા સામેના લોકો હસતા દેખાવા જોઇએ. ત્યારે મે વિચાર્યુ કે એવો શો બનાવુ કે જે જોઇને રોજ લોકો હસી શકે.
દરેક ચેનલે કર્યો આઇડીયા રિજેક્ટ
અસિત મોદીએ કહ્યું કે હું આ આઇડીયા લઇને જે પણ ચેનલ પાસે જતો હતો તે મને ના પાડી દેતા હતા અને કહેતા હતા કે આ શો નહી ચાલે. 2001માં અસિતે દુનિયાને ઉંધા ચશ્માના રાઇટ્સ ખરીદ્યા અને તેને ટીવી પર લાવતા લાવતા 8 વર્ષ લાગી ગયા.
તેમણે એક ચાલીને સોસાયટીમાં ફેરવી દીઘો અને ત્યાં એવી ફેમિલી બનાવી કે જેમાં બધા લોકો પોઝીટીવ હોય અને ઝઘડો હોય પણ મીઠો ઝઘડો હોય. 2000 થી 2008 વચ્ચે 2 વર્ષ એવા હતા કે અસિત પાસે કામ જ નહોતું.