જીવતા સમાધી લેવાની પરંપરા ઘણા વર્ષો પહેલા જોવા મળતી હતી. જ્યારે કોઇ ગામમાં દુષ્કાળની સ્થિતિ હોય અને પાણીના ફાંફા પડે ત્યારે ગામની કોઇ કુંવારી કન્યા કે કોઇ દંપતિ વાવમાં જીવતા સમાધિ લે અને પાણીની ધારો ફૂંટવા લાગે આવી વાતો ઘણી વખત આપણે આપણા કોઇ વડીલ પાસેથી અચૂક સાંભળી છે. આવી એક ઘટના રાજસ્થાનમાં બની હતી.
ભરૂચની યુવતીએ જીવતા લીધી સમાધિત
રાજસ્થાનના રણુજા ખાતે ગઇ હતી દર્શન કરવા
ગ્રામજનોએ મૃતક યુવતિનું મંદિર બનાવવાનો લીધો નિર્ણય
નોંધનીય છે કે, ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા ભાંગોરી ગામની 22 વર્ષની એક યુવતી રાજસ્થાન ખાતે આવેલા રણુજા સંઘ સાથે દર્શન કરવા ગઈ હતી. પ્રતિ વર્ષ ગામમાંથી ઉપડતા યાત્રાળુના સંઘ સાથે આ યુવતી પણ સામેલ થતી હોય ભક્તિમાં લીન થઈ હતી.
એક વાવમાં જીવતા જળસમાધિ લીધી
ત્યારે આ વર્ષે સંઘમાં દર્શન કરવા જતી વેળાએ તેણીએ તેના પરિવારને કહ્યું હતું કે, હું હવે પાછી નહીં આવું મારે ત્યાંજ સમાધિ લેવી છે. અને સાચે જ યુવતીએ રણુજા ખાતે આવેલી એક વાવમાં જીવતા જળસમાધિ લીધી હતી.
ગ્રામજનોએ મંદિર બનાવવાનો લીધો નિર્ણય
નોંધનીય છે કે, જળસમાધિની વાત વાયુવેગે સમગ્ર પંથકમાં પ્રસરી જતાં ભારે ચકચાર ફેલાઇ જવા પામી છે. નેત્રંગનો આ સમગ્ર પરિવાર બાબા રામદેવનો ભક્ત છે. તો મૃતક યુવતી સગુણા પોતાને બાબા રામદેવની બહેન ગણાવતી રહી હતી અને તેના હોઠ પર સદા બાબા રામદેવનું નામ જોવા મળતું હતું. તેણે પોતાની અંતરની ઇચ્છાથી જળસમાધિ લઇ લીધી હોઇ તેના પાર્થિવ દેહને ભોગોરી ખાતે અંતિમ સંસ્કાર અપાવામાં આવ્યા હતા. તેની યાદમાં સમસ્ત ગ્રામજનોએ ખેતરમાં તેનુ ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો છે.