ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે રાજ્યમાં પોલીસ વિભાગમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, અમદાવાદમાં એક જ દિવસમાં 22 પોલીસકર્મી કોવિડ પોઝિટિવ થયા છે.
કોરોના વોરિયર્સ ઉપર વધતું જોખમ
અમદાવાદમાં એક દિવસમાં 22 પોલીસકર્મી સંક્રમિત
તમામ પોલીસ સ્ટાફને રસીના બે ડોઝ લેવા સૂચના
અમદાવાદમાં કોરોના વોરિયર્સ ઉપર વધતું જોખમ
ગુજરાત કોરોના વાયરસના કારણે પીડાઈ રહ્યું છે, દરરોજ હજારોની સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં કોરોના વોરિયર્સમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. આ સંક્રમણના કારણે પોલીસ વિભાગમાં પણ ચિંતા વધી છે ત્યારે પોલીસ અધિકારીઓને વેક્સિન લેવા માટે સૂચના આપવામાં આવી છે.
એક જ દિવસમાં 22 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત
અમદાવાદમાં કોરોના વાયરસના સતત વધતાં કેસ વચ્ચે કોરોના વોરિયર્સમાં સંક્રમણ સતત વધી રહ્યું છે, અમદાવાદમાં એક જ દિવસમાં 22 પોલીસકર્મીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. એવામાં રાજ્યની પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને વેક્સિન લેવા માટે સૂચના આપવામાં આવી છે.
તમામ પોલીસ સ્ટાફને કોરોનાની રસીના બે ડોઝ લેવા સૂચના
અમદાવાદમાં નાગરિકોની સાથે સાથે પોલીસ સ્ટાફમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે ગઈકાલે કોરોના વાયરસના કેસ વધતાં હવે ડીજીપીએ બધા જ પોલીસકર્મીઓને તકેદારી રાખવા માટે સૂચના આપી છે. આ સિવાય તમામ પોલીસ સ્ટાફને કોરોના વાયરસની રસીના બે ડોઝ લઈ લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
પહેલા કરતાં કેસ ઘટ્યા (2 મે, 2021 મુજબ)
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના 12,978 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 153 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 11,146 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,40,276 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 153 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7508 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. રાજ્યમાં હાલ 722 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,46,818 પર પહોંચ્યો છે.