ગુજરાતમાં આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4,205 નવા કેસ નોંધાયા તો 54 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા
ગુજરાતમાંથી સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ
24 કલાકમાં કોરોનાના 4,205 નવા કેસ સાથે 54 દર્દીના થયાં મોત
તૌકતે વાવાઝોડાના કારણે રસીકરણ બંધ રખાયું હતું
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4,205નવા કેસ નોંધાયા છે, તો 54 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 54 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 9523 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 8445 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 6,950,26 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 679 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 80,127 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 1,52,15,612 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,52,15,612 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 1,47,860 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 692 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 19 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 294 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 156 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 380 કેસ, જ્યારે ગ્રામ્યમાં 165 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 169 કેસ અને ગ્રામ્યમાં 162 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત.....