અંબાજીમાં 22 જણાને મોતને ઘાટ ઉતારનાર ગોઝારા અકસ્માતમાં બસનો ડ્રાઈવર ચાલુ બસે વીડિયો ઉતારી રહ્યો હોવાનું સામે આવ્યુ છે. પોલીસે હાલતો માનવ વધનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જો કે ડ્રાઈવરનુ પણ અકસ્માતમાં ઘાયલ થયો છે.
70 જણા હતા બસમાં સવાર
53 અકસ્માતમાં ઘાયલ થયા
22ના ગોઝારા અકસ્માતમાં મોત થયા
22 જણાનો ભોગ લેનાર અંબાજી અકસ્માતમાં એક નવો ટર્નીંગ પોઈન્ટ સામે આવ્યો છે. અકસ્માત વખતે બસનો ડ્રાઈવર ચાલુ બસે વીડિયો ઉતારી રહ્યો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે ડ્રાઈવરની સામે માનવ વધનો ગુનો નોંધાયો છે. જો કે ડ્રાઈવરનુ પણ અકસ્માતમાં ઘાયલ થયો છે.
અંબાજીના ત્રિશુળિયા ઘાટ નજીક અકસ્માતમાં 22 લોકોના મોત થયા હતા. ત્યારે આ અકસ્માત પહેલાનો વીડિયો સામે આવ્યો છે. અને બસ ડ્રાઇવર ચાલુ બસે વીડિયો ઉતારી રહ્યો છે. ત્યારે વીડિયો સામે આવતા અકસ્માત પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ડ્રાઇવરની બેદરકારીના કારણે 22 લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે ડ્રાઇવર સામે માનવ વધનો ગુનો નોંધાયો છે.
શું થયુ હતુ તે દિવસે
70 લોકો ભરેલી એક બસ અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. દાંતા પોલીસની પ્રાથમિક તપાસમાં 53 લોકો ઘાયલ થયા હતા જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 22 લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે.