છેલ્લા એક વર્ષથી સુરત શહેરમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરમાં છેલ્લા એક વર્ષમાં 2100થી વધુ લોકોએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. જૂન 2021માં પણ 12 લોકોએ પોતાનું જીવન આપઘાત કરી ટૂંકાવી લીધું છે.
ડાયમંડ સિટી સુરત, સિલ્ક સિટી સુરત, સ્માર્ટ સિટી સુરત. આટલા બધા હુલામણાં નામોથી જાણીતું છે. સુરતની એક વરવી સૂરત પણ હવે સામે આવી રહી છે. શહેરમાં આપઘાતના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં કોરોનાકાળની શરૂઆતથી આપઘાતના બનાવોમાં વધારો જોવા મળ્યો છે. સુરત શહેરમાં કોરોનાના એક વર્ષના કાળમાં 2,151 લોકોએ આપઘાત કરી લીધો છે.
લોકો શા માટે આપઘાત કરી પોતાનું જીવન ટુંકાવી રહ્યા છે. તેને લઇ અમારી ટીમ દ્વારા સમગ્ર મામલો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જ્યારે આ મામલાની તપાસ કરવા અમારી ટીમ પહોંચી ત્યારે કેટલીક વાતો જાણવા મળી. મનોચિકિત્સક ડૉક્ટરો સાથે જ્યારે અમારી ટીમે વાત કરી તો, આ બધા કારણો સામે આવ્યા છે. લોકો જીવનથી કંટાળીને લોકો આપઘાત તરફ વળી રહ્યા છે.
મનોચિકિત્સક દ્વારા જાહેર આપઘાતના કારણો
આર્થિક સ્થિતિ ડામાડોળ
બરોજગારી
ઘરકંકાસ
પ્રેમપ્રકરણ
ભણતર
માંદગી
એક બાદ એક કારણો લોકોના આપઘાત માટેના સામે આવ્યા છે. ત્યારે સુરત શહેરની પરિસ્થિતિની વાત કરીએ તો, સુરત શહેમાં મુખ્યત્વે 2 વ્યવસાયો છે. જેમાં એક ડાયમંડ અને બીજો ટેક્સટાઇલ...આ બંને વ્યવસાયોમાં આશરે 15 લાખથી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે. લોકડાઉનની પરિસ્થિતિની જ્યારે શરૂઆત થઈ ત્યારે કેટલાક લોકોની નોકરી છૂટી ગઇ કારણકે વ્યાપાર હતો નહીં. તેથી લોકોએ પોતાના કારીગરોને છૂટા કરી દીધા. ત્યાર બાદ તેમની આર્થિક સ્થિતિ કથળી અને તેઓ આપઘાત તરફ વળ્યા,
બીજુ ફરી પાછી નોકરી ન મળતા પણ લોકો નાસીપાસ થાય, ત્રીજું લોકડાઉન અને ત્યાર બાદ અનેક બંધનોને કારણ લોકો ઘરમાં વધુ રહેતા ઘરના કંકાસમાં વધારો થયો. ઓનલાઇન ભણતરને કારણે પણ અનેક વિદ્યાર્થીઓ નાસીપાસ થતાં તેઓ પણ આપઘાતના માર્ગે વળ્યા. કોરોનામાં થયેલી બિમારીએ ગંભીર બિમારીઓનું સ્થાન લેતા પણ લોકો જીવનથી કંટાળી આપઘાત તરફ વળ્યા હોવાનું બહાર આવ્યુ છે.