શ્રીનગરઃ જમ્મૂ-કશ્મીરમાં આતંકીઓ સક્રિય થયાના ગુપ્ત અહેવાલના પગલે સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. ત્યારે સુરક્ષાબળોએ ટોપ 21 આતંકી કમાન્ડોની યાદી જાહેર કરી છે.
સુરક્ષાબળોએ જાહેર કરેલી યાદી મુજબ આ ટોપ 21 આતંકી કમાન્ડોમાં હિઝબુલના 11 આતંકીઓ અને લશ્કર-એ-તૈયબાના 7 આતંકીઓનો સમાવેશ છે. ત્યારે સેના પણ આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે સજ્જ છે.
શુક્રવારે સુરક્ષાદળો દ્વારા અંજામ અપાયેલ આ એન્કાઉન્ટરને મોટી સફળતા માનવામાં આવી રહી છે. સુરક્ષા પ્રતિષ્ઠાના સૂત્રોના જણાવ્યા અનુસાર હવે મહત્વપૂર્ણ ઓપરેશનને અંજામ આપવામાં આવશે જે હેઠળ સૌથી વધુ આતંકવાદીઓને નિશાને લેવામાં આવશે. જેમાં 11 હિઝબુલ મુઝાહિદ્દીન 7 લશ્કર-એ-તૈયબા 2 જૈશ-એ-મોહમ્મદ અને એક અંસાર ગાજવત ઉલ-હિંદના આતંકવાદી છે.
એક સૂત્રના જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓ આ 21 આતંકવાદીઓ વિશે સૂચના એકઠી કરી રહી છે. જેમાં 6 આતંકવાદીઓ તેમણે કેટલા લોકોની હત્યા કરી કેટલા ક્ષેત્રોથી તેઓ નિયંત્રણ કરે છે તેમના પ્રોપગેન્ડાની અસર અને અવધિના આધારે A++ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જો આ 21 આતંકવાદીઓને મારી દેવામાં આવે તો તેનાથી ખીણમાં શાંતિની સ્થાપના થઇ જશે જેનાથી આતંકવાદીઓ અસ્તવ્યસ્ત થઇ જશે. ત્યારબાદ બીજા આતંકવાદી સંગઠનોને ખીણમાં સ્થાપિત કરવા માટે લાંબો સમય લાગી જશે.
સૂત્રોએ વધુમાં કહ્યું કે એક વાર કોઇ આતંકવાદીને A++ શ્રેણીમાં રાખી દેવામાં આવે જેના પર 12 લાખનું ઇનામ હશે તેના મરવાની ઉંધી ગણતરી શરૂ થઇ જશે. A++માં રાખવામાં આવેલ આ 6 આતંકવાદી છે. હિઝબુલ - રિયાઝ અહમદ નાયકૂ(કાશ્મીર ખીણના મુખ્ય ઓપરેશન કમાન્ડર) અલ્તાફ અહમદ ડાર(દક્ષિણ કાશ્મીરમાં ડિવીઝન કમાન્ડર) ઉમર મઝીદ ગનઇ(કુલગામના હાબૂરાનો નિવાસી) અને જીનત-ઉલ-ઇસ્લામ(શોપિયાંના સુગાનનો નિવાસી). આ સિવાય બે આતંકવાદી મુશ્તાક અમહમદ મીર(શોપિયાંના ચક ચોલનનો નિવાસી) અને લશ્કર અને એજીએચનો કમાન્ડર ઝાકિર રશિદ ભટ(ત્રાલ નિવાસી) છે.
લશ્કરના ત્રણ આતંકવાદી પણ સેનાના હિટ લિસ્ટમાં છે. આ ત્રણેય પાકિસ્તાની છે. જેના નામ અબુ મુસ્લિમ અબુ ઝારગામ મોહમ્મદ નવીદ ઝટ છે. તેમને A+ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જ્યાં મુસ્લિમ અને ઝારગામ હાઝન ક્ષેત્રમાં સક્રિય છે ત્યારે પુલવામાં ઓપરેશન કરી રહ્યા છે.