BRTS કોરિડોર બન્યા બાદ રોડ અકસ્માતમાં 75 ટકા વધારો થયેલો જોવા મળ્યો છે. અમદાવાદમાં BRTSનાં કારણે 2 વર્ષમાં 21 લોકોનો ભોગ લેવાયો છે. ત્યારે તંત્ર હજું પણ ઉંઘતું હોય તેમ લાગી રહ્યું છે.
વારંવાર BRTSનાં કારણે અકસ્માત
BRTS અકસ્માતની સંખ્યામાં સતત વધારો
બે વર્ષમાં BRTSનાં કારણે 21 લોકોનાં મોત
વારંવાર BRTSનાં કારણે અકસ્માત
ગઈ કાલે સુરતમાં સ્કુલે મુકવા જઈ રહેલા પિતાને પણ સવારમાં BRTSએ અડફેટે લેતા તેમનાં પિતા- પુત્ર અને ભત્રીજા સહિત 3 લોકોનાં મોત નિપજ્યાં હતાં. હજું તો આ ઘટનાને 24 કલાક પણ નહોતા થયાં કે અમદાવાદમાં બે સગા ભાઈઓને કાળ ભરખી ગયો હતો. અમદાવાદનાં પાંજરાપોળમાં BRTSની અડફેટે 2 સગાભાઈઓનાં મોત નિપજ્યાં છે. બેફામ BRTS ચલાવી બન્ને યુવકોને મોતને ઘાટ ઉતાર્યાં છે. BRTSમાં આવું વારંવાર બને છે.
BRTS અકસ્માતની સંખ્યામાં સતત વધારો
જો શહેરમાં BRTS દ્વારા થતાં અકસ્માતોની વાત કરીએ તો 2 વર્ષમાં 21 જેટલા મોત તો BRTS અકસ્માતનાં કારણે થયાં છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લોકોની સુવિધા માટે રહેલી BRTS લોકોના ભોગ લઈ રહી છે. છેલ્લાં કેટલાય સમયથી BRTS અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
જાણો બે વર્ષમાં BRTSનાં કારણે કેટલાંનાં મોત
BRTS કોરિડોર આવ્યા બાદ 75 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. 2 વર્ષમાં 21 જેટલાં લોકોનાં મોત BRTSની ટક્કરે થઈ છે. અપૂરતા સાઈન બોર્ડ જેવાં અનેક કારણોસર અકસ્માત થાય છે. વર્ષ 2017-18માં 14 અને 2018-19માં 7 એમ મળીને BRTSને કારણે 2 વર્ષમાં કુલ 21 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે વર્ષ 2017માં 24 અકસ્માત થયાં છે જેમાં 3નાં મોત નિપજ્યા છે જ્યારે 2016માં 28 મોત થયાં છે જેમાં 5 લોકોનાં BRTSનાં કારણે મોત નિપજ્યાં છે.
આ કારણોસર થાય છે અકસ્માત
કયા કારણોસર અકસ્માત સર્જાય છે. અકસ્માત માટે મુખ્ય કારણોમાં અપુરતા પ્રમાણમાં સાઈન બોર્ડ, તેમજ BRTSમાં વાહન હાંકવા પર પ્રતિબંધિત હોવા છતાં લોકો BRTS કોરિડોરમાં વાહન ચલાવતાં હોવાનાં કારણે અકસ્માતનો ભોગ બનાતાં હોય છે. તેમજ BRTSમાં અનેક જગ્યાએ ટ્રાફિક સાઈન બોર્ડ, રેલિંગ અને બેરિકેડ્સ નિયત જગ્યા કરતા વધારે બહાર હોવાથી અક્સમાત થતાં હોય છે. કેટલાંક લોકો BRTSમાંથી રોડ ક્રોસ કરતાં હોય છે. રેલિંગ ઠેર ઠેર તુટેલી છે. તેમજ સિમેન્ટનાં બેરીકેટ્સ બહારની તરફ હોવાથી અકસમાત થતાં હોય છે.
અમદાવાદમાં રોજનો એક વ્યક્તિ રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે
ટ્રાફિક પોલીસનાં આંકડા મુજબ અમદાવાદમાં જાન્યુઆરી 1થી 31 ઓક્ટોબર 2019 દરમિયાન 923 અકસ્માત થાય છે. જેમાં 60 તો ગંભીર ઈજાગ્રસ્ત હતાં. આ માં 270 લોકોમં મોત નિપજ્યાં હતાં. જેમાં 217 પુરુષો અને 53 મહિલાઓનો સમાવેશ થાય છે. વર્ષ 2018માં કુલ 1610 અકસ્માત થયાં હતાં. જેમાં 320 લોકો મુત્યુ પામ્યાં હતાં જેમાં પુરુષો 259 અને સ્ત્રીઓ 61 હતી. જ્યારે ગંભીર રીતે 433 લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. જેમાં 351 પુરુષો અને 92 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1089 લોકોને સામાન્ય ઈજા થઈ હતી. જેમાં 836 પુરુષો અને 253 સ્ત્રીઓનો સમાવેશ થયો છે.