EVM પર સવાલ ઉઠાવવા તે વિપક્ષ માટે નવી વાત નથી. પરંતુ આ વખતે લોકસભા ચૂંટણી 2019ના પરિણામ પહેલા જ વિપક્ષે EVM પર સવાલ ઉઠાવ્યા છે. જેમાં આંધપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુ સહિત 21 વિપક્ષી દળોએ EVM પર સવાલ ઉઠાવ્યા છે.
મળતી માહિતી મુજબ કોંગ્રેસ અને ચંદ્રબાબુ સિવાય પં.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આપના નેતા સંજય સિંહ, કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી, કોંગ્રેસના નેતા રાશિદ અલ્વી, CPI જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી અને રાજદ નેતા તેજસ્વી યાદવે પણ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે. જો કે ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં વિપક્ષના નેતા આજે ચૂંટણીપંચને મળશે. જેમાં કોંગ્રેસ પણ જોડાશે.
Andhra Pradesh CM & TDP chief N Chandrababu Naidu, along with 21 opposition parties leaders, will meet Election Commission tomorrow at 3 pm. (file pic) pic.twitter.com/z9gY0PWgpv
— ANI (@ANI) May 20, 2019
આપને એ પણ જણાવીએ કે, ચંદ્રબાબૂ નાયડુએ કહ્યું હતું કે, જેટલું સરળ ફોન ટેપ કરવાનું છે. તેટલું જ સરળ EVMમાં છેડછાડ કરવાનું છે. જેને લઈને તેમણે મતગણતરી દરમિયાન VVPATની 50 ટકા પરચીને EVM સાથે સરખાવવા માગ કરી છે. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી 2019ના પરિણામ 23મી મેના રોજ આવશે.