દેશના 200થી વધારે શૈક્ષણિક જગતના વિદ્વાનોએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને લેફ્ટ વિચારધારા સાથે જોડાયેલા લોકો પર શિક્ષણનો માહોલ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. પત્ર લખનાર લોકોમાં ઘણા પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયોના વાઇસ ચાન્સેલર પણ સામેલ છે. પત્રમાં લખવામાં આવ્યું, લેફ્ટ વિંગના એક્ટિવિટ્સની મંડળી દેશમાં શૈક્ષણિક માહોલ ખરાબ કરી રહી છે.
લેફ્ટ સાથે જોડાયેલા લોકો પર શિક્ષણનો માહોલ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો
આ પત્રમાં સરકાર તરફથી શૈક્ષણિક જગતમાં સમર્થન મેળવવાની કોશિશ
શૈક્ષણિક વિદ્વાનોએ પોતાના પત્રમાં લખ્યું, 'અમારુ માનવું છે કે સ્ટુડેન્ટ્સ પોલિટિક્સના નામ પર અતિવાદી વામપંથી એજન્ડાને આગળ વધારાઇ રહ્યો છે. હાલમાં જ જેએનયુથી જામિયા, એએમયૂથી જાધવપૂર યુનિવર્સિટી સુધી સામે આવેલા ઘટનાક્રમથી જાણવા મળે છે કે, કેવી રીતે શૈક્ષણિક માહોલ ખરાબ કરવામાં આવી રહ્યો છે. તેની પાછળ લેફ્ટ એક્ટિવિસ્ટ્સના એક નાનો વર્ગ છે.
પત્ર લખનારાઓમાં ઘણી યુનિવર્સિટીના VC પણ સામેલ
આ પત્રમાં લખનારાઓમાં હરિ સિંહ ગૌર યુનિવર્સિટીના કુલપતિ આરપી તિવારી, સાઉથ બિહાર સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ એચસીએસ રાઠોર અને સરદાર પટેલ યુનિવર્સિટીના વીસી શિરીષ કુલકર્ણી સામેલ છે. શિક્ષણ સંસ્થાનોમાં લેફ્ટ વિંગની અરાજકતાની વિરુદ્ધ નિવેદન શીર્ષકથી લખવામાં આવેલા પત્રમાં કુલ 208 શૈક્ષણિક વિદ્વાનોના હસ્તાક્ષર છે.
સરકાર તરફથી શૈક્ષણિક જગતમાં સમર્થન મેળવવાની કોશિશ
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થયેલા હિંસા, પ્રદર્શનો અને જેએનયુમાં થયેલી હિંસા બાદ લખવામાં આવેલા આ પત્રમાં સરકાર તરફથી શૈક્ષણિક જગતમાં સમર્થન મેળવવાની કોશિશ માનવામાં આવી રહ્યું છે. લેફ્ટ સાથે જોડાયેલા સમૂહો પર હુમલો બોલતા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, લેફ્ટ વિંગ રાજનીતિની તરફથી લગાવાયેલી સેન્શરશિપને પગલે સ્વતંત્ર રૂપે કંઇપણ બોલવું અને કોઇ સાર્વજનિક કાર્યક્રમ કરવું મુશ્કેલ બની ગયું છે.