1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારામણ રજૂ કરશે બજેટ
31 જાન્યુઆરીથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યસભાની કાર્યવાહી સવારના 9 વાગ્યે અને લોકસભાની કાર્યવાહી સાંજના 4 વાગ્યે શરુ થશે. જોકો આ કોવિડ પ્રોટોકોલ 2 ફેબ્રુઆરીથી લાગુ પડશે. 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અભિભાષણ હશે. તો 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારામણ વર્ષ 2022-23નું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
#COVID19 protocol will be implemented again in the #BudgetSession of the Parliament. Rajya Sabha proceedings will begin from 9 am & that of Lok Sabha from 4 pm. The new protocol will come into effect from Feb 2. President's address to be presented on 31st Jan and Budget on Feb 1.
બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે
રાષ્ટ્રપતિ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કર્યા પછી જ આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. ત્યારબાદ સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે અને એક મહિનાની રજા પછી 8 એપ્રિલ સુધી ચાલુ રહેશે. રજાના સમયગાળા દરમિયાન, વિભાગો સાથે જોડાયેલી સંસદીય સમિતિઓ સંબંધિત મંત્રાલયોને અંદાજપત્રીય ફાળવણીના પાસાઓની સમીક્ષા કરે છે.
જાણો સમગ્ર કાર્યક્રમ
31 જાન્યુઆરીથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ
31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિનું અભિભાષણ
1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ
બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે
બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે અને એક મહિનાની રજા પછી 8 એપ્રિલ સુધી
કોવિડ પ્રોટોકોલ લાગુ પડશે
સંસદમાં 875 કર્મચારીઓ કોરોના પોઝિટીવ
સંસદમાં 875 કર્મચારીઓ કોરોના પોઝિટીવ
સંસદમાં 875 કર્મચારીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. સંસદ સચિવાલયે જણાવ્યું છે કે, 31 જાન્યુઆરીથી શરૂ થનારા સંસદના બજેટ સત્ર અગાઉ રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂની સાથે સાથે સદનના 875 સ્ટાફ કોવિડ પોઝિટીવ આવ્યા છે. આ આંકડો મહામારીની ત્રીજી લહેરની શરૂઆત બાદ 20 જાન્યુઆરી સુધી કરવામાં આવેલા ટેસ્ટના છે.
રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂ બીજી વાર કોરોના પોઝિટીવ
રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂ બીજી વાર કોરોના પોઝિટીવ થયા છે. તેઓ હાલમાં હૈદરાબાદમાં છે. તેમણે એક અઠવાડીયા સુધી કોરન્ટાઈનમાં રહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવાની અને કોરન્ટાઈન થવાની પણ સલાહ આપી છે, જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હતાં. હાલમાં તો એવું નથી લાગતું કે, બુધવારના ગણતંત્ર દિવસ સમારંભમાં તેઓ ભાગ લઈ શકે.