આઇપીએલ 2020 માટે આ વર્ષે 19 ડિસેમ્બરે નીલામી થવાની છે. આઇપીએલની 13મી સિઝન માટે કલકતામાં ખેલાડીઓની નીલામી થશે. મોટી નીલામી છેલ્લી જાન્યુઆરી 2018માં થઇ હતી.
નીલામીની પ્રક્રિયા 2019ની તર્જ પર જ ઓછા ખેલાડીઓ વાળી હશે
IPLની 13મી સિઝન માટે ખેલાડીઓની નીલામી કલકતામાં થશે.
પરંપરાગત રીતે આઇપીએલ ઑક્શનની પ્રક્રિયા બેંગ્લોરમાં પૂરી કરવામાં આવતી હતી, પરંતુ ત્યારબાદ આઇપીએલ 2019 માટે ઑક્શન જયપુરમાં થયું હતું.
એક રિપોર્ટ મુજબ 2021માં ફ્રેન્ચાઇજી પોતાની નવી ટીમ તૈયાર કરશે, આ પહેલા આ નાની નીલામીની ઔપચારિકતા પૂરી કરવામાં આવશે. મોટી નીલામી છેલ્લી જાન્યુઆરી 2018માં થઇ હતી, જ્યારે ફ્રેન્ચાઇજીઓને પાંચ ખેલાડીઓને બનાવી રાખવાની અનુમતિ હતી.
એટલે કે આઇપીએલ 2020 માટે નીલામીની પ્રક્રિયા 2019ની તર્જ પર જ ઓછા ખેલાડીઓ વાળી હશે. તમામ 8 ફ્રેન્ચાઇઝી માટે ટ્રેડિંગ વિન્ડો 14 નવેમ્બરે બંધ થઇ જશે. તમામ ફ્રેન્ચાઇઝીને એવું જણાવી દેવામાં આવ્યું છે કે ખેલાડીઓને પોતાની સાથે રાખવા અને અન્ય ફ્રેન્ચાઇઝીથી અદલા બદલી કરવા માટે એમની પાસે 14 નવેમ્બર સુધીનો સમય છે.
તમામ ફ્રેન્ચાઇઝીને આગામી સંસ્કરણ 2020 માટે 85 કરોડ રૂપિયા ફાળવણી કરવામાં આવ્યા હતા. દરેક ફ્રેન્ચાઇઝીની પાસે 3 કરોડ રૂપિયાનો વધારાનું પર્સ પણ હશે.
દિલ્હી કેપિટલ પાસે સૌથી વધારે બેલેન્સ (8.2 કરોડ રૂ.)છે. ત્યારબાદ રાજસ્થાન રૉયલ્સ (7.15 કરોડ રૂ), કલકત્તા નાઇટ રાઇડર્સ (6.05 કરોડ રૂ.) સનરાઇઝર્સ હૈદરાબાદ (5.3 કરોડ રૂ.), કિંગ્સ XI પંજાબ (3.7 કરોડ રૂ.), ચેન્નાઇ સુપર કિંગ્સ (3.0 કરોડ રૂ.), ગત ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ (3.05 કરોડ રૂ) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (1.8 કરોડ રૂ) છે.