કોરોના સંકટ અને લૉકડાઉનના કારણે દેશના અર્થતંત્રને પણ અસર થઇ રહી છે. આ પરિસ્થિતિને જોતા મોદી સરકારે એ તમામ યોજનાઓને બંધ કરી દીધી છે, જેની 2020-21ના સામાન્ય બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. આ આદેશ તે યોજનાઓ પર પણ લાગૂ થશે, જેના માટે નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે સૈદ્ધાંતિક મંજૂરી આપી રાખી છે. આ આદેશ માર્ચ 2021 સુધી લાગૂ છે.
લૉકડાઉનના કારણે દેશના અર્થતંત્રને અસર
સરકારનો આ આદેશ માર્ચ 2021 સુધી લાગૂ છે
સરકારની આત્મનિર્ભર યોજના પર આદેશ લાગૂ નહીં
આત્મનિર્ભર યોજના પર નિયમ લાગૂ નહીં
જોકે, સરકારની આત્મનિર્ભર યોજના પર આ નિયમ લાગૂ નહીં થાય. તમને જણાવી દઇએ કે સરકારે અંદાજિત 21 લાખ કરોડના આત્મનિર્ભર યોજનાનું એલાન કર્યું હતું. જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પણ સામેલ છે. જોકે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પણ લાગૂ રહેશે. આના પર કોઈ રોક નહીં લાગે. જોકે, સરકાર તરફથી સ્પષ્ટરીતે તે યોજનાઓ વિશેના નામ નથી જણાવવામાં આવ્યા જેમને બંધ કરવામાં આવશે. પરંતુ અમે તમને જણાવી દઇએ કે સામાન્ય બજેટમાં ખાસરીતે કઇ યોજનાઓ શરૂ થઇ હતી કે પછી કઇ યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી.
જે યોજનાઓનું એલાન થયું હતું
સામાન્ય બજેટમાં રેલવે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી ક્રમશઃ ખેડૂત રેલ અને કૃષિ ઉડાનની શરૂઆતનું એલાન થયું હતું. આ સિવાય બજેટમાં સાર્વજનિક-ખાનગી ભાગીદારી(પીપીપી) વ્યવસ્થા હેઠળ રાજ્યોની સાથે સહયોગથી 5 નવીન સ્માર્ટ સિટી વિકસિત કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક ઉપકરણ અને સેમી-કંડક્ટર પેકેજિંગના નિર્માણને પ્રોત્સાહિત કરવા માટે એક યોજનાની શરૂઆત થવાની હતી.
બજેટમાં વધુ એક્સપોર્ટ ક્રેડિટના વિતરણના ઉદ્દેશ્યની હેતુ સેવા આપવા માટે એક નવી યોજના નિર્વિક શર કરવાનો પ્રસ્તાવ હતો. આ હેઠળ મુખ્યરીતે નાના એક્સપર્ટ કરનારાઓને જરૂરી સહયોગ આપવાની વાત કહી હતી. આ પ્રકારે એક રાષ્ટ્રીય ટેક્નિકલી વસ્ત્ર મિશન શરૂ કરવાનો પ્રસ્તાવ પણ કર્યો હતો. આ ઉદ્દેશ્ય ભારતને ટેક્નિકલી વસ્ત્રોના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે અગ્રણી બનાવવાનું છે.
બજેટમાં કહેવામાં આવ્યું હતું કે 20 લાખ ખેડૂતોને ગ્રિડથી જોડાયેલ પંપોને મેળવવા માટે પ્રધાનમંત્રી કુસુમ યોજનાનો વિસ્તાર કરવો પડશે. અહીં તમને જણાવી દઇએ કે સરકારે 21 લાખ કરોડના આત્મનિર્ભર પેકેજમાં કૃષિ, મતસ્ય, વેપાર, રિયલ એસ્ટેટ, એમએસએમઈ સહિત વધુ પડતા સેક્ટર માટે કેટલાક રાહત પેકેજ આપવાનું એલાન કર્યું છે.
સરકારે શા માટે લીધો નિર્ણય
જોકે, સરકાર પાસે રાજસ્વ ઓછું આવી રહ્યું છે. રિપોર્ટથી જાણ થાય છે કે એપ્રિલ 2020 દરમિયાન 27,548 કરોડ રૂપિયા રાજસ્વ મળ્યું, જે બજેટ અંદાજ 1.2 ટકા હતું. જ્યારે સરકારે 3.07 લાખ કરોડ ખર્ચ કર્યા, જે બજેટ અંદાજના 10 ટકા હતા. નાણા સંકટથી જજૂમવાના કારણે સરકાર લોન પણ વધારે લઇ રહી છે. ગત દિવસોમાં સરકારે એલાન કર્યું હતું કે, તેઓ ચાલુ નાણાકીય વર્ષ માટે પોતાના બજારથી લોન લેવાનો અંદાજ 4.2 લાખ કરોડ રૂપિયાથી વધારીને 12 લાખ કરોડ રૂપિયા કરશે.