2019 લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલાથી ચર્ચા હતી કે આ વખતે બિહારમાં ભાજપ શત્રુધ્ન સિન્હાને ટિકિટ નહી આપે. શનિવારે પાર્ટીએ જાહેરાત પછી આ અટકળો સત્ય સાબિત થઇ. પાર્ટીએ શત્રુધ્ન સિન્હાની જગ્યાએ પટના સાહિબની સીટ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને આપી. એવામાં હવે જોવુ રસપ્રદ હશે કે હવે શત્રુધ્ન સિન્હા શું કરશે, આવું એટલા માટે કેમકે ટૂંક સમયમાં શત્રુધ્ન સિન્હા કોંગ્રેસમાં જોડાઇ શકે છે.
વાસ્તવમાં શત્રુધ્ન સિન્હા ભાજપની વિરુદ્ઘ સતત નિશાનો સાધતા હતા. કયારે કોઇ સ્ટેજ પર તો ક્યારેક સોશ્યલ મીડિયાની મદદથી ભાજપની નીતિઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વિરુદ્ઘ બોલતા. હોળી પહેલા પણ પોતાના ટ્વીટમાં 'ચોકીદાર' વાળા મામલામાં નરેન્દ્ર મોદીની ટીકા કરી, જેથી અટકળો લાગી રહી હતી કે શત્રુધ્ન સિન્હા ભાજપની ટિકિટ પર સાસંદ નહી પહોંચી શકે.
'કોંગ્રેસમાં ક્યારેય પણ જઇ શકે છે સિન્હા'
આ સાથે જ શુક્રવારના શત્રુધ્ન સિન્હાના નજીકને નેતાએ સંકેત આપ્યા. તેમણે કહ્યુ કે, ''લગભગ નક્કી થઇ ચૂક્યુ છે કે 24-25 માર્ચના શત્રુધ્ન સિન્હા કોંગ્રેસ જોઇન કરી શકે છે.'' આ પાછળનું કારણ જણાવતા કહ્યુ કે, આવુ એટલા માટે કેમકે શત્રુધ્ન સિન્હાને રાષ્ટ્રીય રાજનીતિમાં મૌકો મળશે.
પટના સાહિબમાં થશે રસપ્રદ મુકાબલો:
તમને જણાવી દઇએ કે, ભાજપની યાદી આવ્યા પહેલા જ શત્રુધ્ન સિન્હાએ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, તેઓ પટના સાહિબથી જ ચૂંટણી લડશે. હવે ભાજપની તરફથી ત્યાંને ઉમેદવાર રવિશંકર પ્રસાદ હશે. એવામાં હવે આ સીટ પર જોઇ કોઇ બીજી પાર્ટી અથવા અપક્ષ ઉમેદવાર તરીકે સિન્હા મેદાનમાં આવે તે જોવાનું રસપ્રદ રહેશે. આજે પટનામાં થયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના નેતા ભુપેન્દ્ર યાદવે બિહારમાં એનડીએના 39 ઉમેદવારોની જાહેરાત કરી હતી.