નવી દિલ્હી: આઝાદીના 71 વર્ષોમાં દેશમાં 15 પ્રધાનમંત્રી બન્યા. એમાં કાર્યવાહક પીએમ ગુલઝારી લાલ નંદાનું નામ પણ સામેલ છે. એમાં સૌથી સારા પીએમના રૂપમાં નરેન્દ્ર મોદીનું નામ સામે આવ્યું છે. આ વાતનો ખુલાસો એક મીડિયા સર્વે મૂડ ઓફ ધ નેશનમાં થયો છે. જણાવી દઇએ કે પીએમ મોદી ચાર વર્ષ પહેલા દેશના પીએમ બન્યા અને એ દરમિયાન ઘણા ઐતિહાસિક નિર્ણય લીધા. એમના નિર્ણય ગણા સંજોગોમનાં ઐતિહાસિક પણ સાબિત થયા.
મૂડ ઓફ ધ નેશન સર્વેમાં દરેક પ્રધાનમંત્રીઓની તુલનામાં જનતા એ નરેન્દ્ર મોદીને અત્યાર સુધીના સૌથી સારા પીએમ ગણાવ્યા છે. સર્વે રિપોર્ટ અનુસાર 26 ટકા લોકોનું માનવું છે કે દેશમાં અત્યાર સુધીના દરેક પીએમમાં સૌથી સારા પ્રધાનમંત્રી સાબિત થયા છે. પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને 20 ટકા લોકોએ સૌથી સારા પીએમ માન્યા છે. અટલ બિહારી વાજપેયી 12 ટકા લોકો માટે સૌથી સારા પીએમ છે. દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુને 10 ટકા રાજીવ ગાંધીને 7 ટકા અને મનમોહન સિંહને 6 ટકા જનતાએ સૌથી સારા પ્રધાનમંત્રી જણાવ્યા છે.
દેશમાં સૌથી વધારે સમય સુધી પં.જવાહરલાલ નેહરુ પીએમ પદ પર રહેતા દેશની સેવા કરી. 16 વર્ષ 286 દિવસ પીએમ પદ પર રહ્યા. ત્યારબાદ એમની પુત્રી ઇન્દિરા ગાંધી સૌથી વધારે કાળ સુધી પીએમ પદ પર રહી. મોદી પહેલી વખત દેશના પીએમ બન્યા છે. હજુ એમના પાંચ વર્ષ પણ પૂરા થયા નથી પરંતુ એમને પોતા પૂર્વ તમામ 14 પ્રધાનમંત્રીને પાછળ પાડી દીધા છે. આ વાત પરથી અંદાજો લગાવી શકાય છે કે જો મોદીને ઇન્દિરાની જેમ દેશની સેવા કરવાની તર મળે તો એ ઇતિહાસમાં હંમેશા માટે સૌથી સારા પીએમ સાબિત થઇ શકે છે.
જણાવી દઇએ કે ગુજરાતના પૂર્વ સીએમ અને ભાજપ નેતા નરેન્દ્ર મોદી તમામ રાજકારણ અને અન્ય અડચણોને પાર કરતાં 2014માં દેશના પીએમ બન્યા. મોદીના નેતૃત્વમાં ભાજપે પહેલી વખત પોતાના દમ પર સરકાર બનાવવા માટે બહુમત મેળવ્યા. ભાજપ એકલાને પોતાના દમ પર 272 સીટો મળી જેને ભાજપને પોતાના દમ પર સરકાર બનાવવા લાયક પહેલી બિનકોંગ્રેસી પાર્ટી બનાવી.
ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીને આશરે 6 મહિનાનો સમય બાકી છે. બધી રાજકીય પાર્ટીએ 2019ની ચૂંટણી માટે કમર કસી લીધી છે.