પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરવા માટે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં પીએમ મોદીએ રેલી યોજી અને જનસભાને સંબોધન કર્યુ.
આ દરમિયાન પીએમ મોદીએ મમતા બેનર્જી પર આકરા પ્રહાર પણ કર્યા. આ સિવાય પીએમ મોદીએ એરસ્ટ્રાઈક અને મમતા બેનર્જીએ કરેલા શક્તિપ્રદર્શન પર પણ આકરા પ્રહાર કર્યા.
પીએમ મોદીએ રેલીને સંબોધન કરતા કહ્યું, દીદી હવે એવા લોકો સાથે બેસે છે કે જે ભારતમાં બે પ્રધાનમંત્રી ઈચ્છી રહ્યા છે. શું ભારતમાં બે પ્રધાનમંત્રી હોવા જોઈએ ?
PM Modi in Cooch Behar, West Bengal: The more you chant 'Modi Modi', the more someone loses their sleep. You know who they are? 'Speed breaker'. The speed breaker of West Bengal - Didi. She is losing her sleep & is taking out her anger on her officers, on Election Commission. pic.twitter.com/WpFbliBSaz
સ્પીડ બ્રેકર દીદીએ બંગાળની જનતા પર પણ સ્પીડ બ્રેકર લગાવી દીધા છે. દીદી એટલા ડરેલા છે કે આરામથી સૂઈ પણ શકતા નથી. જેટલું મોદી મોદી થાય છે એટલી ઊંઘ હરામ થાય છે.
દીદીના સંકજામાંથી આઝાદ થવાનું મન હવે બંગાળના લોકોએ મનાવી લીધું છે. દીદીએ માભોમ સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે. દીદીના અસલી ચહેરાને દુનિયા સામે લાવવો જરૂરી છે. દીદીએ લોકોની આસ્થા પર પણ દીદીએ સ્પીડ બ્રેકર લગાવ્યા છે.
મા, માટી અને માનુષને લઇને પણ પીએમ મોદીએ મમતાનો ઘેરાવો કર્યો. પીએમએ કહ્યું કે મમતા બેનર્જીનો આ નારો માત્ર જૂઠ્ઠો છે. વાસ્તવિક્તા કંઇક અલગ છે. સત્ય એવું છે કે પોતાના રાજકીય ફાયદા માટે ઘૂસણખોરીને બચાવીને દીદીને માટીની સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે.