હિંદુ માન્યતા અનુસાર, સુષ્ટિના પાલનહાર શ્રીહરિ વિષ્ણુના 8માં અવતાર શ્રીકૃષ્ણનો જન્મોત્સવને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. જોકે આ વર્ષે જન્માષ્ટમીની તારીખ અને તિથિને લઇને લોકોને અસંમજસ જોવા મળી રહી છે.
લોકોને ખબર નથી કે વ્રત 23 ઓગસ્ટ શુક્રવારના કરવામાં આવે કે પછી 24 ઓગસ્ટના શનિવારે કરવાનું.. આ પાછળની મુખ્ય કારણ છે આઠમની તિથિની શરૂઆત 23 તારીખે સવારે 8:09 મિનિટ પર થઇ રહી છે જ્યારે રોહિણી નક્ષત્રનો આરંભ 24 તારીખ સવારે 3:38 મિનિટ પર થઇ રહ્યો છે.
વાસ્તવમાં રોહિણી નક્ષત્ર ના દિવસે જ આઠમ તિથિ એજ જન્માષ્ટમીનું વ્રત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે કે કેમકે શ્રીમદભગવત્ પુરાણ અનુસાર, શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદ કૃષ્ણ આઠમ તિથિ, બુધવારે, રોહિણી નક્ષત્ર અને ચંદ્રના વૃષભ રાશિના સંચાર દરમિયાન અડધી રાત્રે થયો હતો. પરંતુ આ સંયોગ આ વર્ષે નથી થઇ રહ્યો.
અનેક શાસ્ત્રકારો આ પ્રકારની સ્થિતિમાં વ્રતને લઇને કહી રહ્યા છે કે, જે દિવસે મધ્યરાત્રિમાં આઠમની તિથિ હોય તે જ દિવસે જન્માષ્ટમીની વ્રત રાખવામાં આવે છે.
જન્માષ્ટમી દુર્લભ સંયોગ:
આ દુર્લભ સંયોગ ત્યારે થાય છે જ્યારે મધ્યરાત્રિમાં આઠમની તિથિ દરમિયાન રોહિણી નક્ષત્ર હોય, પરંતુ આ વખતે જન્માષ્ટમીમાં આ દુર્લભ સંયોગ થઇ રહ્યો છે જે ફળદાયી છે. ભગનાન શ્રીકૃષ્ણના જન્મ સમયે મધ્ય રાત્રિમાં ચંદ્રમા વૃષભ રાશિમાં હતો. આ વર્ષે પણ ચંદ્ર આ જ પ્રકારની સ્થિતિમાં હશે જેવો ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે હતો. આ દિવસે મધ્ય રાત્રિમાં લગ્નમાં રોહિણી નક્ષત્ર ઉપસ્થિત રહેશે.
મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ માટે મથુરા વૃંદાવનમાં 24 ઓગસ્ટના વ્રત પૂજા કરવામાં આવે છે.
જન્માષ્ટમીની પૂજાની સામગ્રીમાં કરો આ વસ્તુઓનો ઉપયોગ:
ભગવાન કૃષ્ણનું નામ સાંભળતા જ આપણા મનમાં નટખટ બાળગોપાલની છબી દેખાવા લાગે છે. માથા પર સુંદર મોરપીંછ, હાથમાં વાસંળી, જાણો એવું લાગે છે કે, ભગવાન સાક્ષાત સામે હોય. જન્માષ્ટમીની પૂજામાં ભગવાનનો શ્રૃંગાર મહત્વનો માનવામાં આવે છે. મોરપીંછ, મોરમુગટ, વાંસળી, માખણ-મિસરી, પારણું, નવા વસ્ત્રો, ગાય, ગીતાની પોથી જેવી વસ્તુઓ ભગવાનની પૂજામાં શામેલ કરવામાં આવે છે.