આઇસીસી વર્લ્ડકપ 2019માં ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પહેલી સેમીફાઇનલની રમત આજ એક વખત ફરીથી શરૂ થશે. પરંતુ શું કહે છે નિયમ?કેવી રીતે નિકળશે મેચનું પરિણામ? જાણો નિયમ...
દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓની નજર મેનચેસ્ટર પર ટકેલી છે. દરેક લોકોના મનમાં એક જ સવાલ છે કે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમીફાઇનલનું પરિણામ શું નિકળશે? કાલે જે સમયે વરસાદના કારણે મેચ રોકવામાં આવી ત્યારે ન્યૂઝીલેન્ડએ 46.1 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 211 રન બનાવ્યા હતા. કાલે લાંબી રાહ જોયા બાદ ફરીથી મેચ શરૂ થઇ શકી નહીં, આજે મેચ ફરીથી એક વખત શરૂ થશે. પરંતુ શું કહે છે નિયમ? જાણો એ નિયમ...
મેચ કાલે જ્યાં અટકી હતી ત્યાંથી જ શરૂ થશે. એટલે કે આજે ફરીથી ટોસ પણ નહીં ઉછળે અને ન્યૂઝીલેન્ડ ટીમ ફરીથી 50 ઓવરની બેટિંગ પણ કરશે નહીં, કાલે 46.1 ઓવરમાં મેચ રોકી દેવામાં આવી હતી. એટલે કે મેચ શરૂ થતા જ બોલિંગ ભુવનેશ્વર કુમાર કરશે અને એની સામે સ્ટ્રાઇક લેશે રૉસ ટેલર.
આ 50 ઓવરની જ મેચ હશે. ઓવરોની સંખ્યામાં કોઇ કાપ મૂકવામાં આવશે નહીં, વરસાદ થયા બાદ જ ઓવરોની સંખ્યા ઘટાડવામાં આવશે.
આ મેચ મેનચેસ્ટરના સ્થાનિક સમય પ્રમાણએ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. એટલે કે ભારતીય સમય પ્રમાણએ બપોરે 3 વાગ્યાથી મેચ ત્યાંથી જ શરૂ થશે જ્યાં કાલે અટકી હતી.
જો આજે વરસાદના કારણે મેચ શરૂ થવામાં મોડું થયું તો ઓવરોની સંખ્યા ઘટાડવામાં આવશે. એવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયા માટે જીતનું લક્ષ્ય ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે નક્કી કરવામાં આવશે.
મેચને પૂરી થવા માટે ઓછામાં ઓછી 20 ઓવરની મેચ થવી જરૂરી છે. ત્યારબાદ જ મેચનું પરિણામ નિકાળી શકાશે.
જો વરસાદના કારણે આજે પણ મેચ રમી શકાઇ નહીં તો પછી ટીમ ઇન્ડિયાને વિજેતા જાહેર કરવામાં આવશે. વાસ્તવમાં વર્લ્ડકપ 2019 ના નિયમો અનુસાર જો વરસાદના કારણે મેચનું પરિણામ આવતું નથી તો એ ટીમને ચેમ્પિયન જાહેર કરવામાં આવશે જે પોઇન્ટ્સ ટેબલમાં આગળ છે. અહીંયા ટીમ ઇન્ડિયા ટોપ પર છે.