નાણાંમંત્રી પિયૂષ ગોયલે અંતિમ બજેટમાં પગારદારોને મોટી ખુશખબરી આપી છે. ગોયલે ગ્રેચ્યુઈટી ચુકવણીની સીમાને 10 લાખ રૂપિયાથી 20 લાખ રૂપિયા કરી દીધી છે. આનો મતલબ એ છે કે હવે લગભગ પાંચ વર્ષ બાદ નોકરી છોડવા પર મળનારી વધારેમાં વધારે 10 લાખ રૂપિયાની રકમને વધારીને 20 લાખ રૂપિયા કરી દેવામાં આવેલ છે.
આપને જણાવી દઇએ કે ગ્રેચ્યુઈટી આપની સેલરીનો તે ભાગ છે કે જે કંપની અથવા આપનાં એમ્પ્લોયર એટલે કે એમ્પ્લોયર આપની વર્ષની સેવાઓને બદલે આપે છે.
ગ્રેચ્યુઈટી તે લાભકારી યોજના છે જે રિટાયરમેન્ટ લાભોનો ભાગ છે અને નોકરી છોડવા અથવા તો ખતમ થઇ જવા પર કર્મચારીને એમ્પ્લોયર દ્વારા આપવામાં આવે છે. આવા કર્મચારીની સેવાને પાંચ વર્ષની અવિરત સેવા માનવામાં આવે છે અને સામાન્ય રીતે પાંચ વર્ષની સેવાઓ બાદ જ કોઇ પણ કર્મચારી ગ્રેચ્યુઈટીનાં હકદાર બને છે.
ક્યારે મળશે ગ્રેચ્યુઈટીનાં રૂપિયા?
ગ્રેચ્યુઈટી ચૂકવણી 1972 અધિનિયમ અનુસાર સંગઠિત ક્ષેત્રની જે કંપનીમાં 10 અથવા તો તેનાંથી વધારે કર્મચારી કામ કરે છે તો ત્યાં ગ્રેચ્યુઈટી આપવાની હોય છે. ગ્રેચ્યુઈટી આપની સેલરીનો એક ભાગ હોય છે. કોઇ પમ કંપની પોતાનાં એમ્પ્લોયને વર્ષો સુધીની સર્વિસને બદલી નાખે છે. ગ્રેચ્યુઈટીનો ફાયદો રિટાયરમેન્ટ દરમ્યાન જ મળે છે. ત્યારે 5 વર્ષની નોકરી બાદ પણ આનો ફાયદો લઇ શકાય છે.
નિયમ અનુસાર ગ્રેચ્યુઈટીને માટે કોઇ નોકરીને સતત 4 વર્ષ 10 મહીના અને 11 દિવસ સુધી કરવી જરૂરી છે. 5 વર્ષની સર્વિસ બાદ કર્મચારી ગ્રેચ્યુઈટીનાં હકદાર બની જાય છે. પરંતુ આનાંથી ઓછાં સમયમાં ગ્રેચ્યુઈટી નહીં મળે.
કેટલી રકમ મળશે તે કેવી રીતે નક્કી થશે?
એક્સપર્ટ્સ લોકોનું માનવું એમ છે કે એક્ટ અંતર્ગત આવનાર એમ્પલોયને માટે ગ્રેચ્યુઈટી નિકાળવા માટેની ફોર્મ્યુલા છે.
આ છે ફોર્મ્યુલાઃ (15 X છેલ્લો પગાર X કામ કરવાનો સમયગાળો) ભાગ 26.
અહીં છેલ્લાં પગારનો અર્થ છે બેસિક સેલરી મોંઘવારી ભથ્થો અને વેચાણ પર મળનારું કમીશન છે.
માની લો કે કોઇ વ્યક્તિનો છેલ્લો પગાર મહીને 50 000 રૂપિયા છે. તેઓએ કોઇ કંપનીમાં 15 વર્ષ ને 8 મહીના કામ કર્યું. એવામાં તેઓની ગ્રેચ્યુઈટી હશે. (15 X 50 000 X 16)/26 = 4.61 લાખ રૂપિયા.
આ મામલામાં કામ કરવાનાં દિવસ 15 વર્ષ 8 મહીના હોવાંને કારણ આને 16 ધ્યાને રાખવામાં આવેલ છે. જો કામ કરવાનાં દિવસ 15 વર્ષ 5 મહીના હોત તો આને 15 જ માનવામાં આવત.