અમદાવાદના મજૂરગામમાં વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડ કેસમાં આજે કોર્ટમાં 22 આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી સેશન્સ કોર્ટે 10 આરોપીને દોષિત જાહેર કર્યા છે.
મહત્વનું છે કે લઠ્ઠાકાંડમાં 50થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં મજૂર ગામના 23 લોકોનો સમાવેશ થાય છે. તો 175 લોકોને ઝેરી દારૂની અસર થઈ હતી. જેમાંથી 40 જેટલા લોકોને અંધાપો પણ આવ્યો હતો. આ મામલે કોર્ટે આખરે 10 આરોપીને દોષિત જાહેર કરી દીધા છે. જેમાં 8 મહિલા અને 2 પુરુષને આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. જોકે 12 આરોપી નિર્દોષ સાબિત થયા છે.
સરકારી વકીલની દલીલ
સરકારી વકિલે કોર્ટમાં રજુઆત કરી હતી. તેમણે કહ્યું કે, મિનિમમ 10 વર્ષની સજાની જોગવાઈ છે. આરોપીને વધુમા વધુ સજા થવી જોઇએ. 65-B મુજબ ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે.
આરોપીના વકીલની દલીલ
વીનોદ ઉર્ફે ડગરી અને આરોપી 08એ કોઇ દલીલ કરી નહીં. આરોપીના વકીલે દલીલ કરી કે, ઓછામાં ઓછો દંડ કરવામાં આવે. આરોપી નંબર-01 પર ઘરની જવાબદારી છે ઓછો દંડ કરવામાં આવે. આરોપી-08 તેના ઘરનો એક માત્ર સદસ્ય છે નામદાર કોર્ટેને નમ્ર અપીલ છે કે ઓછામ ઓછો દંડ કરવામાં આવે. જુદી જુદી સજા કરવામાં આવે નહીં. આરોપીને પણ સુધારવાની તક આપવી જોઈએ.
સરકારી વકિલની દલીલ
દરેક ગુના માટે અલગ અલગ સજા કરવી જોઈએ અને તેની સજા પણ અલગ અલગ ભોગવવાનો હુકમ કરવો જોઈએ. અહીંયા કેટલાક આરોપીઓ છે જેમના ઘરેથી દારૂ પીધો અને મોત થયા છે. તેમને વધુ સજા થવી જોઈએ.