ભરૂચઃ વર્ષ 2007માં થયેલા અજમેર દરગાહ બ્લાસ્ટના વોન્ટેડ આરોપી સુરેશ નાયરની ATSએ ધરપકડ કરી છે. ATSએ ભરૂચ પાસેના શુક્લતીર્થથી ધરપકડ કરી છે. આરોપી સુરેશ નાયર પર NIAએ 2 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ હતું.
મહત્વનુ છે કે 2007માં થયેલા અજમેર દરગાહ બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટમાં બોમ્બનો સામાન બીજા ષડયંત્રકારીઓને પહોચાડાવાનો સુરેશ નાયર પર આરોપ છે. છેલ્લા ઘણા સમયથી પોલીસે સુરેશ નાયરની શોધખોળ કરી રહી હતી. ત્યારે હવે પોલીસે શુક્લતીર્થમાંથી આરોપી સુરેશ નાયરની ધરપકડ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2007માં રાજસ્થાનની અજમેર દરગાહમાં આ બ્લાસ્ટ થયો હતો. શરીફમાં રોજા ઇફ્તાર કરતા સમયે જાયરીનો વચ્ચે આ બ્લાસ્ટ 11 ઓક્ટોબર 2007ના કરાયો હતો. આ બ્લાસ્ટ કેસમાં ત્રણ આરોપીઓ દોષિત કોર્ટે જાહેર કરાયા હતા. દરગાહમાં સાંજના સમયે બ્લાસ્ટ થયો જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત હતા.