મધ્યપ્રદેશની એક સહકારી ફર્મે મહેન્દ્ર સિંહ ધોનીનાં ઓર્ડર પર 'કડકનાથ' જાતિના 2000 મરઘાઓ ઝારખંડનાં રાંચી સ્થિત ફાર્મ પર મોકલ્યા છે.
ધોની પાળશે કડકનાથ જાતિના મરઘાઓ
મધ્યપ્રદેશથી રાંચી મોકલાવાયા મરઘાઓ
ધોનીએ 2000 કડકનાથ મરઘાઓનો આપ્યો હતો ઓર્ડર
ધોની પાળશે કડકનાથ જાતિના મરઘાઓ
મધ્યપ્રદેશની એક સહકારી ફર્મે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનાં ઓર્ડર પર પ્રોટીનથી ભરેલા 'કડકનાથ' જાતિના 2000 મરઘાઓ ઝારખંડનાં રાંચી સ્થિત ફાર્મ પર મોકલ્યા છે. મધ્યપ્રદેશનાં ઝાબુઆ જીલ્લાનાં કડકનાથ મરઘાઓને છત્તીસગઢથી લીગલ લડાઈ બાદ 2018માં જીઆઈ ટેગ મળ્યો છે. આ મરઘા, તેના ઈંડા અને માંસ બીજી જાતિથી મોંઘા ભાવમાં વહેંચવામાં આવે છે.
મધ્યપ્રદેશથી રાંચી મોકલાવાયા મરઘાઓ
ઝાબુઆનાં કલેકટર સોમેશ મિશ્રાએ પ્રેસ ટ્રસ્ટને જણાવ્યું હતું કે ધોનીએ એક સ્થાનિક સહકારી ફર્મને 2000 કડકનાથ મરઘાઓનો ઓર્ડર આપ્યો હતો જે એક વાહન દ્વારા રાંચી મોકલાવાયા હતા. તેમણે કહ્યું કે આ એક સારું પગલું છે કે ધોની જેવા સ્ટારે કડકનાથ મરઘાની જાતિમાં રસ બતાવ્યો છે. કોઈપણ ઓનલાઈન ઓર્ડર કરી શકે છે જેથી આ જાતિના મરઘા પાળવાવાળા આદિવાસીઓને ફાયદો થશે.
ધોનીએ 2000 કડકનાથ મરઘાઓનો આપ્યો હતો ઓર્ડર
ઝાબુઆનાં કૃષિ વિજ્ઞાન કેંદ્રનાં પ્રમુખ આઈ એસ તોમરે કહ્યું કે ધોનીએ થોડા સમય પહેલા આ ઓર્ડર આપ્યો હતો પરંતુ બર્ડ ફ્લૂને કારણે તે મોકલાવાયો ન હતો. ધોનીએ વિનોદ મેદાને ઓર્ડર આપ્યો જે રૂંડીપાડા ગામમાં કડકનાથ જાતિનાં મરઘાનાં પાલન સાથે જોડાયેલ સહકારી સંસ્થા ચલાવે છે. મેદાએ કહ્યું હતું કે ઝાબુઆની આદિવાસી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી એરો કમાન્ડ પણ ધોનીને મોકલવામાં આવશે.